શોધખોળ કરો
નીતિન પટેલને મળવા બે કલાક રાહ જોઈ છતાં ના મળતાં ખેડૂતને હાર્ટ એટેક આવતાં મોત
1/5

અરજદારોનો ભારે ધસારો રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પોતાના કામકાજના કલાકોમાં ફેરફાર કરવો પડ્યો છે. સોમ અને મંગળવારે વહીવટી કામકાજ થઇ નહીં શકતા તેઓ બપોરે 3 વાગ્યા સુધી બંગલે રહીને વહીવટી કામકાજ અને બેઠકો બોલાવે છે અને 3 વાગ્યા પછીનો સમય મુલાકાતીઓ માટે અનામત રાખે છે. પરંતુ મુલાકાતીઓની સંખ્યા એટલી હોય છે કે રાત્રે 11.30 કલાક સુધી રજૂઆતો ચાલે છે. વિજય રૂપાણીએ સત્તા સંભાળી ત્યારબાદ લોકોને પોતાના પ્રશ્નો સંદર્ભે છેક સચિવાલય સુધી આવવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. લોકોના પ્રશ્નોનો ગ્રામ્ય, તાલુકા અને જિલ્લાકક્ષાએથી ઉકેલ આવે તે માટે તેમણે તમામ કલેક્ટરોને સૂચના આપી છે પરંતુ હજુ વ્યવસ્થા સેટ થતા થોડો સમય લાગે તેમ છે.
2/5

વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી સચિવાલયમાં વિવિધ કામ માટે મુખ્યમંત્રી અને મંત્રીઓને રજૂઆત કરવા આવનાર અરજદારોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. સોમ અને મંગળવારે સંખ્યા 15 હજાર જેટલી થઇ જાય છે. ધારણા કરતા વધુ અરજદારો આવતા તેમના માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવી શકાઇ નથી. સલામતીના કારણે વાહનો મેઇન ગેટની બહાર મૂકાવી દેવાતા અરજદારોને અડધો કિલોમીટર જેટલું ચાલવું પડે છે. બંને સ્વર્ણિમ સંકુલના તમામ ફ્લોર ઉપર અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે. બીજીતરફ બેસવાની પૂરતી વ્યવસ્થા નથી હોતી, મંત્રીઓને પણ કામ બાજુ પર મૂકીને માત્ર અરજદારોને સાંભળવા પડે છે અને સંખ્યા વધુ હોવાથી અરજદારોને પણ કલાકો સુધી બેસી રહેવું પડે છે.
Published at : 28 Sep 2016 09:55 AM (IST)
View More





















