ગીર સોમનાથઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેઓ હાલમાં સોમનાથના દર્શન કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન સોમનાથ અગાઉ આવેલા કોખીડા ટોલનાકા પર આપના કાર્યકર્તાઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સ ભરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. આપના કર્મચારીઓએ ટોલટેક્સ ભરવાનો ઇનકાર કર્યો હતો. જેને પરિણામે ટોલનાકાના અધિકારીઓ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો હતો.
10/13
11/13
12/13
13/13
આપના કાર્યકર્તાઓએ ટોલનાકાના કર્મચારીઓ પર દાદાગીરી કરવામાં આવી હતી. આપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે ભાજપનો કોઇ કાર્યક્રમ હોય છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પાસેથી કોઇ પણ પ્રકારનો ટોલટેક્સ લેવામાં આવતો નથી.