શોધખોળ કરો
અમદાવાદમાં તોડાયેલું છ માળનું બિલ્ડિંગ ભાજપના ક્યા ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પુત્રની હોવાની ચાલી રહી છે ચર્ચા ? જાણો વિગત
1/7

નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે વહેલી સવારના ૪-૦૦ વાગ્યાથી સ્ટીલ સ્ટ્રકચર ધરાવતી આ ગેરકાયદે બિલ્ડિંગને તોડી પાડવા માટે એક જેસીબી મશીન કામે લગાવાયું હતું. તંત્રના અનુરોધના પગલે વહેલી સવારથી જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ડિમોલિશનનાં સ્થળ પર તહેનાત કરી દેવાયો હતો. જેના પગલે આ લખાય છે ત્યાં સુધી તંત્રની આ કામગીરીમાં કોઇ વિઘ્ન ઊભું થયું નથી. (તસવીરો પ્રતિકાત્મક છે)
2/7

અમદાવાદ: લાંબા સમયથી વિવાદાસ્પદ બનેલા બોડકદેવનાં પકવાન ચાર રસ્તા પાસેના છ માળના એક ગેરકાયદે બિલ્ડિંગ પર આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હથોડા ઝીંકાયા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ આનંદીબહેન પટેલના પુત્ર સંજય પટેલની માલિકીની કહેવાતા આ બિલ્ડિંગ સામે પગલાં લેવાનો છેક ગાંધીનગરથી આદેશ થતાં અત્યાર સુધી આ મામલે ખચકાટ અનુભવતા મ્યુનિસિપલ તંત્રએ ઓપરેશન ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. તંત્રએ કડક પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરેલી આ કામગીરી સંદર્ભે જોકે પ્રારંભમાં ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાયો હતો. આ લખાય છે ત્યારે હજુ પણ આ કામગીરી ચાલુ છે.
Published at : 14 May 2018 04:58 PM (IST)
View More























