શોધખોળ કરો
આનંદીબેનનો અભિવાદન સમારોહ યોજાયો, શુભેચ્છકોનો આભાર માનતા બેન થયા ભાવુક
1/5

મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તી બાદ આનંદીબેન પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું, મોટા રાજ્યની જવાબદારી સંભાળવી એ ગર્વની વાત, 26મી જાન્યુઆરીએ મધ્ય પ્રદેશમાં ધ્વજવંદનના કાર્યક્રમ અગાઉ 23મીએ શપથવિધિ યોજાઈ શકે છે.
2/5

ગાંધીનગર: ગાંધીનગરમાં આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાતા અભિવાદન સમારોહ યોજાયો હતો, આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી અને પરશોતમ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેને અહીં તેમના ગુજરાતમાં રાજકારણના અનુભવો વર્ણવ્યા હતા. અભિવાદન સમારોહમાં શુભેચ્છકોનો આભાર માનતા આનંદીબેન ભાવુક થયા હતા. પક્ષ દ્વારા તેમના સન્માન દરમિયાન બેન ભાવુક થયાં હતા.
Published at : 20 Jan 2018 08:10 PM (IST)
Tags :
Anandiben PatelView More























