શોધખોળ કરો
કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ્દ, જાણો શું છે કારણ?

1/5

કેજરીવાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેવો ભાવનગરના મહુવા જવા રવાના થવાના હતા. શુક્રવારે ડો. કનુભાઈ કલસરિયા ઘ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટના હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરનું અનાવરણ કરવા માટે કેજરીવાલ ગુજરાત આવવાના હતા. આ કાર્યક્રમમાં શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.
2/5

હાલમાં જ દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7000 કરોડ જેટલી ઉદ્યોગપતિઓની લોન કરી દેવામાં આવી છે. જેમાં 1200 કરોડ રૂપિયા તો દેશને સૌથી મોટો ચૂનો લગાડનારા વિજય માલ્યાના માફ કરવામાં આવ્યા છે.
3/5

આપના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીના નિર્ણયના લીધે 33 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કુદરતી મોત ગણી શકાય તેવો સવાલ કરતા કહ્યું હતું કે, આ 33 લોકોમાં કાળું નાણું કોની પાસે હતું/સરકાર દેશનું 99% કાળું નાણું જે 648 લોકો પાસે છે તેમને છાવરી રહી છે અને બીજી બાજુ 126 કરોડ લોકોની હાલત કફોડી કરી નાખી છે.
4/5

આવતીકાલે એટલે કે 18મીના રોજ અરવિંદ કેજવીવાલ આપના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની હોસ્પિટલના નવીનીકરણનું ઉદ્દઘાટન કરવાના હતા. બીજી તરફ નોટના કકળાટ વચ્ચે આપ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સહકારી નેતાઓના કારણે જ સહકારી બેન્કો અંગે રિઝર્વ બેન્કે પૈસા જમા ન થઇ શકે તેવો નિર્ણય લેવો પડયો છે.
5/5

અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો આજનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. દિલ્હીના વ્યસ્ત કાર્યક્રમના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ સત્યેન્દ્ર જૈન અમદાવાદ આવશે. જોકે મોડી રાત્રે કેજરીવાલ અમદાવાદ આવે તેવી શક્યતા છે.
Published at : 17 Nov 2016 10:04 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ધર્મ-જ્યોતિષ
ખેતીવાડી
Advertisement
