છોટાઉદેપુરઃ એક અઠવાડિયા પહેલાં જ હજુ લગ્ન કરનાર યુવતીએ પ્રેમી સાથે નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમી યુગલે બોડેલી પાસેની નર્મદા મુખ્ય નહેરમાં કૂદીને આપઘાત કરી લીધો છે.
2/3
દરમિયાન તેણે પોપડીયા ગામના યુવક અજય બારીયા નામના પ્રેમી યુવક સાથે ડુમા પાસેની મુખ્ય નહેર પરથી કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. યુવક-યુવતીએ પ્રેમપ્રકરણમાં આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
3/3
આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુરના મસાબારની સરસ્વતી બારીયાના હજુ એક અઠવાડિયા પહેલા જ લગ્ન થયા હતા. લગ્નના અઠવાડિયા પછી તે કોલેજની પરીક્ષા આવતી હોવાથી પરીક્ષાનું ફોર્મ ભરવા માટે બોડેલી આવી હતી.