બારડોલીઃ નવસારીના એક શ્રીમંત ખેડૂત તેને ત્યાં ખેતમજૂર તરીકે કામ કરતી યુવતી સાથે પ્રેમમાં પડ્યા પછી તેની સાથે ભાગી ગયો હતો. એક મહિના પહેલાં ભાગેલા આ યુગલે મહુવના વહેલમાં આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમ પ્રેકરણનો ભાંડો ફૂટી ગયા પછી આ કપલ ભાગી ગયું હતું.
2/4
આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અંગે પરિવારને જાણ કરતાં બંને એક મહિના પહેલા ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. નરેન્દ્રભાઈના પરિવાર આબરું જવાની બીકે પોલીસને જાણ કરી નહોતી. જ્યારે આશા અને તેના પતિ વચ્ચે અણબનાવ હોવાથી તેણે પણ આશાને શોધવાની દરકાર લીધી નહોતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
3/4
એક મહિના સુધી અલગ અલગ હોટલોમાં રહ્યા પછી પણ તેઓ સમાજમાં આબરું જવાની બીકે ઘરે પરત ફરી શક્યા નહોતા. દરમિયાન ગઈ કાલે મોડી સાંજે આ યુગલની લાશ મહુવા તાલુકાના વહેવલ નર્સરીની પાછળ ઝાડ પર લટકાયેલી હાલતમાં મળી આવી હતી.
4/4
આ અંગે મળતી માહિતી પ્રમાણે નવસારીના ખડસુપામાં રહેતા નરેન્દ્ર પેટલ(ઉ.વ.54) શ્રીમંત ખેડૂત છે. ચાર મહિના પહેલા તેમના ખેતરમાં મજૂરીએ આવતી આશા ભરતભાઈ રાઠોડ (ઉ.વ.30)ના પ્રેમમાં પડ્યા હતા. ચાર મહિનાના પ્રેમ પ્રકરણનો મહિલના પહેલાં ભાંડો ફૂટી જતાં તેઓ ગત 14 નવેમ્બરે આશા સાથે ભાગી ગયા હતા.