શોધખોળ કરો
ગુજરાતમાં પાણીપુરી પર પ્રતિબંધ આવશે કે નહીં? રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
1/6

પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ખાણીપીણીની લારીઓ ચલાવીને હજારો લોકો કમાય છે અને સેંકડો ગરીબો આ નાસ્તા પાણીથી પેટ ભરતા હોય ત્યારે તેના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સ્વાસ્થ્યના કારણોસર અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે હેલ્થ વિભાગ અને મહાપાલિકા તંત્ર દરોડા પાડે તેનો અર્થ પ્રતિબંધ મૂકવો એવો થતો નથી.
2/6

નીતિન પટેલના આ નિવેદનને પગલે રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ લાગશે તેવી અટકળોનો અંત આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ, વડોદરા અને જામનગર સહિતના મહાનગરોમાં પકોડીના ધંધાર્થીઓ પર તવાઈ છે અને વ્યાપક દરોડા પડ્યા છે. આ દરોડાના કારણે રાજ્યભરમાં પકોડી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા છે
Published at : 29 Jul 2018 12:13 PM (IST)
Tags :
Nitin PatelView More





















