શોધખોળ કરો
ભાજપ અને કોંગ્રેસે કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારોને આપી ટિકિટ? જાણો જ્ઞાતિવાદી સમીકરણો
1/8

૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજીત ઓબીસી સમુહના એકએક મત અંકે કરવા રાજકિયપક્ષોએ કોઈ કસર છોડી નથી. આ સમુહના ઠાકોર, કોળી, આંજણા ચૌધરી, રબારી, આહિર, મેર, દલવાડી, સતવારા, પંચાલ, કડીયા, પ્રજાપતિ જેવા અનેક સમાજોમાંથી ભાજપે ૫૮ અને કોંગ્રેસે ૬૨ ઉમેદવાર મતદારો સમક્ષ ધર્યા છે. ગુજરાતમાં ૭૪ બેઠકો ઉપર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે. જેમાંથી ૪૬ મતક્ષેત્રોમાં ભાજપ-કોંગ્રેસના ઓબીસી વર્ગના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર વાંકાનેર, ભૂજ અને જૂનાગઢ એમ ત્રણ બેઠકોમાં લોહાણા સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે દરિયાપુર, જમાલપુર, સુરત, વાગરા, વાંકાનેર, ભૂજ એમ કુલ છ બેઠકો ઉપર મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા છે.
2/8

જ્ઞાતિવાર ટિકિટની યાદી જોઈએ તો પાટીદારને ભાજપે 52 તો કોંગ્રેસ 42 ટિકિટ આપી છે. ઓબીસીને ભાજપે 58 તો કોંગ્રેસે 62ને ટિકિટ આપી છે. એસટીની વાત કરીએ તો ભાજપે 28 સામે કોંગ્રેસે 25ને ટિકિટ આપી છે. એસસીની વાત કીરએ તો ભાજપે 13 અને કોંગ્રેસે 14ને ટિકિટ આપી છે. બ્રાહ્મણને ભાજપે 10 અને કોંગ્રેસે 6ને ટિકિટ આપી છે. જૈનની વાત કરીએ તો ભાજપે 4 અને કોંગ્રેસે 2ને ટિકિટ આપી છે. ક્ષત્રિયમાં ભાજપે 12 અને કોંગ્રેસે 10ને ટિકિટ આપી છે. મુસ્લિમની વાત કરીએ તો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી જ્યારે કોંગ્રેસે 6ને ટિકિટ આપી છે.
Published at : 28 Nov 2017 12:38 PM (IST)
View More























