શોધખોળ કરો
આઈબીના રિપોર્ટ પ્રમાણે અત્યારે ચૂંટણી થાય તો ભાજપ કોંગ્રેસને કેટલી બેઠકો મળે, બન્નેના પગ તળેથી સરકી ગઈ જમીન
1/5

આ સર્વેમાં કોંગ્રેસ માટે સારા સમાચાર એ દેખાઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસમાંથી 12 ધારાસભ્યો છેડો ફાડી ભાજપમાં જવા છતાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થઈ રહ્યો છે, તે સુચક બાબત છે. આઈબી અધિકારીઓએ ભાજપ સરકાર સામેની નારાજગી જાણવાનો પ્રયત્ન કર્યો તેમાં મુખ્ય ચાર મુદ્દા સામે આવ્યા છે. જેમાં નોટબંધી અન જીએસટીના કારણે ધંધાઓ ઉપર અસર, પાટીદારોને અનામત મળી નથી તે ઉપરાંત ખેડુતો અને યુવાનો નારાજ છે.
2/5

આ સર્વે અનુસાર 182 બેઠકો પૈકી 154 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું છે. જ્યારે આઈબીના સર્વે અનુસાર 28 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે અને આ બેઠકમાં જો વધારે બેઠક મેળવશે તેનું પલડું ભારી રહે તેવી શક્યતા છે. આ બેઠકો પર ભાજપની સ્થિતિ કફોડી થઈ શકે છે કારણ કે આ 28 પૈકી 20 બેઠકો ઉપર પાટીદારો મતદારોની બહુમતી છે અને હાલમાં પાટીદારો ભાજપથી નારાજ છે માટે પહેલાની તુલનામાં આ વખતે પાટીદારોના મત ભાજપને ઓછા મળવાની પૂરેપૂરી સંભાવના છે.
Published at : 01 Sep 2017 03:14 PM (IST)
View More























