શોધખોળ કરો
એકતરફી પ્રેમીએ યુવતીના ભાઈ-ભાભીની કેમ કરી નાંખી હત્યા? જાણો શું બની હતી ઘટના?
1/4

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના શેરડીડીંબાના અશોક દરજી(ઉ.વ.35)ની પિતરાઇ બહેન સાથે નવરાત્રિમાં અરવિંદ પ્રજાપતિએ છેડતી કરી હતી. આથી અશોકે અરવિંદને ઠપકો આપતાં બોલાચાલી થઈ હતી. આ સમયે એક તરફી પ્રેમમાં પાગલ અરવિંદે અશોકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, પરિવારજનોએ સમાધાન કરાવતાં મામલો શાંત પડ્યો હતો.
2/4

દરમિયાન ગઈ કાલે(રવિવાર) સવારે સાડા પાંચ વાગ્યે અશોક દરજી અને તેના પત્ની રેખાબેન(ઉ.વ.30) ખેતરમાં ગયા હતા. ત્યારે અરવિંદે નવરાત્રિમાં થયેલી તકરારનું મનદુઃખ રાખી આ દંપતીની હત્યા કરી નાંખી હતી. અશોક અને તેના પત્ની ઘરે ન આવતાં અશોકના પિતાએ રાણાજી દરજીએ પડોશી મેહુલ પ્રજાપતિ સાથે ખેતરમાં તપાસ કરતાં બંનેની લાશ લોહીલૂહાણ હાલતમાં મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવાની ગતિવિધિ તેજ કરી છે.
Published at : 17 Oct 2016 12:52 PM (IST)
View More





















