ભાનુભાઈના મોત બાદ પાટણ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત, ઉઁઝામાં દલિત સમાજના લોકો દુકાનો બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા, શંખેશ્વર અને પાટણમાં પણ બંધની અસર, પોલીસનો જડબેસલાક બંદોબસ્તભાનુ ભાઈના મોત બાદ પાટણ, મહેસાણા, ઉંઝામાં ઘેરા પ્રત્યાઘાત, દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવી નેશનલ હાઈવે પર કર્યો ચક્કાજામ કર્યો હતો.
4/7
બાદમાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં અમદાવાદમાં એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
5/7
ઘટનાને પગલે અલગ અલગ સંગઠનોએ આજે ઉંઝા, પાટણ અને શંખેશ્નર બંધનું એલાન આપ્યું હતું. કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બે દિવસ પહેલા ભાનુભાઈ વણકરે પાટણ કલેક્ટર કચેરી બહાર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
6/7
જમીન વિવાદને લઇને પાટણ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
7/7
પાટણઃ જમીન વિવાદને લઇને દલિત પરિવારના સભ્યના મોતના પાટણ અને ઉંઝામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. દલિત સમાજના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો અને દુકાનો બંધ કરાવી હતી.