શોધખોળ કરો
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

1/4

હાર્દિક પટેલે ઉપવાસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેણે કહ્યું હતું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. ગુજરાતમાંથી 16 હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે તેવો દાવો હાર્દિક પટેલે કરી હતી.
2/4

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ કરવાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. સરદારે લોકોને જોડ્યા અને કોંગ્રેસે લોકોને તોડવાનું કામ કરી રહી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિરીક્ષણ કરતી વખતે નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.
3/4

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાર્દિકના ઉપવાસને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યાં છે. તેઓ સમાજને તોડવા અને ભાગલા પડાવવા માટે કામ કરી રહ્યાં છે. આવા લોકોને ગુજરાતની જનતા જાણે છે.
4/4

નર્મદાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવાનો છે. આ માટે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હાર્દિકના આંદોલનને સમર્થન આપવા માટે અમદાવાદ આવી રહેલા અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મોટાભાગના જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
Published at : 25 Aug 2018 01:00 PM (IST)
Tags :
Security Tightened In Ahmedabad Ahead Of Hardik Patel Fast Agitation Collector Has Imposed Section 144 In The District Patidar Leader Hardik Patel's Fast Hardik Patel Fast Agitation Police Force Deployed Outside Hardik’s House Deputy CM Nitin Patel Patidar Leader Hardik Patel Patidar Anamat AndolanView More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement