શોધખોળ કરો
હાર્દિકના સમર્થનમાં પાટણથી ઉંઝાની પદયાત્રા શરૂ, જાણો કેટલા હજાર લોકો પદયાત્રામાં જોડાયા?
1/4

પદયાત્રાના પ્રારંભે શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડવામાં આવ્યાં હતાં. આ પદયાત્રા સાંજે 5-30 વાગે ઊંઝા પહોંચશે. જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકવામાં આવશે. બપોરે 12-30 વાગે બાલિસણા ગામે ભોજન વિરામ લેશે. રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરાશે.
2/4

આ યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનોને પોલીસે આપી હતી. સવારે 8 વાગે પાટણના મોતીશા દરવાજા સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ પદયાત્રાનો આરંભ થયો હતો.
Published at : 09 Sep 2018 11:05 AM (IST)
View More





















