શોધખોળ કરો
ગુમ થયા બાદ મીડિયા સામે આવ્યા પ્રવિણ તોગડિયા, રડતા રડતા કહ્યું મારું એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર
1/6

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રે 11 કલાકથી લાપતા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા બેભાન હાલતમાં અમદાવાદ એરપોર્ટ પાસે મળી આવ્યા હતા. શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 8:30 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સ દ્વારા 108ને ફોન કરવામાં આવ્યા હતો. ત્યારબાદ 9:10 વાગ્યે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના ટોળા ઉમટી પડ્યા છે. હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા માહિતી આપવા આવી કે પ્રવિણ તોગડિયાનું સુગર લેવલ ડાઉન થઇ ગયું હતું અને અત્યારે તેમની તબિયત સ્થિર છે.
2/6

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવિણ તોગડિયા રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ. મારી પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ નથી. ઘટાની વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, હું એરપોર્ટ જવા નીકર્યો ત્યારે રસ્તામાં મારો શ્વાસ રૂંધાયો પછી શું થયું તેની મને ખબર નથી. તેમણે કહ્યું કે હું જયપુર અથવા દિલ્હી જવાનો હતો.
Published at : 16 Jan 2018 12:07 PM (IST)
Tags :
Pravin TogadiaView More























