શોધખોળ કરો
રાજ્ય સરકારે લિકર શોપમાં વેચાતી દારૂની બોટલો અંગે શું આપ્યો મહત્વનો ચુકાદો?
1/4

આ અંગે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખે જણાવ્યું હતુ કે, શહેરની કેટલીક હોટેલની લીકરશોપમાં દારૂની બોટલ ઉપર એમઆરપી લખવામાં આવતી નથી જે અંગે ભૂતકાળમાં તોલમાપ ખાતાએ કાર્યવાહી કરેલી છે. દરેક પેકેટ કોમોડીટી ઉપર એમઆરપી લખવી ફરજિયાત છે છતાંપણ ન લખાતાં ગ્રાહકો છેતરાય છે. જેથી દરેક ચીઝવસ્તુઓના પેકેટ ઉપર એમઆરપી લખાવવી જોઇએ. ભૂતકાળમાં પણ અનેક વખત લીકર શોપમાં થતી અનિયમિતતા સામે ફરિયાદો થઈ છે. તેવા પણ કિસ્સા બનેલા કે પરમીટના હોય તેવા લોકોને પણ બારોબાર અહીંથી દારૂનું વેચાણ થયું હતું.
2/4

રાજય સરકારના નશાબંધી અને આબકારી કચેરીના નિયામકે તા.૩૦-૮-૨૦૧૭ના રોજ એક પરિપત્ર જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માન્ય લીકર શોપમાં વેચામ માટે રાખવામાં આવેલ દારૂની બોટલ પર એમઆરપી દર્શાવવામાં આવતી નથી. જે ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને પેકેજ કોમોડીટી રૂલ્સ ૨૦૧૧ના નિયમ ૬ (ઇ) મુજબ, એમઆરપી (તમામ વેરા સાથે) લખવી ફરજિયાત છે. જેથી તે મુજબની કાર્યવાહી કરવા વિંનતી છે.
Published at : 30 Nov 2017 02:08 PM (IST)
Tags :
Gujarat NewsView More























