શોધખોળ કરો
આતંકી હુમલાની આશંકાને પગલે સોમનાથ મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
1/3

ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ એક પીઆઇ, એક પીએસઆઇસ અને એસઆરપીની કંપની અને 25 સ્થાનિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર પહેલાથી જ આતંકીઓના હિટ લીસ્ટમાં છે, અને મંદિરને છેલ્લા કેટલાક વર્ષોથી ઝેડ કક્ષાની સિક્યોરીટી પુરી પાડવામાં આવી રહી છે. તે સિવાય દ્ધારકા મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે.
2/3

મળતી વિગતો અનુસાર, આતંકી હુમલાની શંકાને પગલે સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામા આવ્યો છે. જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ સોમનાથ મંદિરમાં તૈનાત કરવામાં આવી છે, તે સિવાય ડૉગ સ્ક્વોડની ટીમ દ્વાર સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
Published at : 26 Feb 2017 03:22 PM (IST)
View More























