નવી દિલ્હીઃ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે બીજેપીએ પહેલા વિવિધ રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીની નિમણૂક કર્યા બાદ હવે સંકલ્પ પત્ર, પ્રચાર-પ્રસાર અને સામાજિક સ્વયંસેવી સંગઠન સંપર્ક કમિટીની જાહેરાત કરી છે. રાજનાથ સિંહને ચૂંટણી ઢંઢેરા સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહ ઉપરાંત જેટલી, પીયુષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાન સહિત કુલ 20 નેતા અને મંત્રી કમિટીમાં હશે. સામાજિક સ્વયંસેવી સંગઠન સંપર્ક કમિટીમાં એક ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
4/5
પ્રચાર-પ્રસાર કમિટીમાં અરૂણ જેટલી, પીયુષ ગોયલ, રાજ્યવર્ધન રાઠોડ, ડો. અનિલ જૈન, ડો.મહેશ શર્મા, સતીશ ઉપાધ્યાય, રાજીવ ચંદ્રશેખર, ઋતુરાજ સિંહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સામાજિક સ્વયંસેવી સંગઠન સંપર્ક કમિટીમાં નીતિન ગડકરી, કૈલાશ વિજયવર્ગીય, કલરાજ મિશ્ર, સદાનંદ ગૌડા, શિવ પ્રસાદ શુક્લા, વિજય સાંપલા, એસ એસ અહલૂવાલિયા, બંદારુ દત્તાત્રેય, સરદાર આર પી સિંહ, માંગેરામ ગર્ગ, એલ ગણેશન, લક્ષ્મીકાંત વાજપેયી અને ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.