આ સ્થળે અગાઉથી જમ્મુ અને કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. આ એન્કાઉન્ટર 10 મિનિટ સુધી ચાલતું રહ્યું હતું. અનંતનાગથી બટંગૂના રસ્તામાં ખાનાબલ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા પરંતુ જવાબી ફાયરિંગમાં આતંકી બટંગૂની તરફ ભાગવામાં મજબૂર થયા હતા.
2/5
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 10,જૂલાઇ સોમવારના રોજ અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા ગોળીબારને લઇને એક નવી થિયરી સામે આવી છે. શ્રીનગરની નજીકમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં સાત યાત્રીઓના મોત થયા હતા અને 19 મુસાફરો ઘાયલ થયા હતા
3/5
આ ખબર બાદ નવી થિયરી સામે આવી રહી છે. શું અમરનાથ યાત્રીઓ કોઇ આતંકી હુમલાનો શિકાર બન્યા નથી?તે કોઇ આતંકી સંગઠનના નિશાન પર નહોતા? આ હુમલો ફક્ત દુર્ઘટના હતી અને જો અમરનાથ યાત્રીઓની બસ ખરાબ થઇ ના હોત તો તે આ હુમલાથી બચી ગયા હોત.
4/5
આ ફાયરિંગ દરમિયાન એનએચ-1એ પર શ્રીનગર તરફથી આવી રહેલી અને જમ્મુ જઇ રહેલી બસ આતંકવાદીઓના રસ્તા પર આવી ગઇ હતી. બસમાં સવાર યાત્રી મહારાષ્ટ્ર અને ગુજરાતના મૂળ નિવાસી હતા અને તે પોતાની અમરનાથ યાત્રા પુરી કર્યા બાદ બે દિવસ સુધી શ્રીનગરમાં ફરી રહ્યા હતા.
5/5
આ ખબરમાં એક નવો ટ્વિસ્ટ સ્થાનિક અખબાર અને વેબસાઇટ પર છપાયેલી ખબરોને લઇને આવ્યો છે. જમ્મુ કાશ્મીરના અખબારોમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, યાત્રીઓથી ભરેલી બસ ખોટા સમયે ખોટી જગ્યા પર પહોંચી ગઇ હતી. જે સમયે યાત્રીઓ ભરેલી બસ ઘટનાસ્થળ નજીક પહોંચી હતી.