શોધખોળ કરો
ભૂસ્ખલન બાદ બદ્રીનાથનો રસ્તો બંધ, અંદાજે 15 હજાર યાત્રી ફસાયા
1/5

ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીએ જણાવ્યું કે સીમા સડક સંગઠનના જવાનો કાટમાળને સાફ કરવામાં લાગ્યાં છે અને આવતી કાલે બપોર સુધીમાં હાઈવે પર અવરજવર શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે બદ્રીનાથની યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તેમને જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ગોવિંદઘાટ અને બદ્રીનાથમાં જ સુવિધાજનક સ્થાનો પર રોકાવાનું જણાવાયું છે. હાઈવે જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે વિષ્ણુપ્રયાગ નજીક બંધ છે. બપોર બાદ અચાનક હાથીપહાડ પરથી ચટ્ટાન ધસવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે નેશનલ હાઈવેથી લઈને અલકનંદા નદી સુધીનો મોટો વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો.
2/5

પ્રશાનના નિર્દેશો પર ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીના જણાવ્યાં અનુસાર હાઈવે આવતી કાલ સુધીમાં ખુલી જાય તેવી આશા છે. આવામાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યાં છે. બદ્રીનાથમાં હાજર યાત્રીઓને બદ્રીનાથમાં જ રોકાવવાનું કહેવાયું છે.
Published at : 20 May 2017 07:43 AM (IST)
Tags :
LandslideView More























