શોધખોળ કરો
કાળાનાણાંના કુબેરો પર PMની નજર, જાણો PMO કેવી રીતે રાખી રહ્યું છે નજર
1/6

પીએમઓમાં Public grievance redressal wing હોય છે જે લોકો પાસેથી મળેલી જાણકારી પર આગળની કાર્યવાહી કરે છે. આ નોટબંધી પહેલા પણ હતું જેમાં તમામ ફરિયાદ ફોરવર્ડ થઈને આવતી હતી. પરંતુ હાલમાં તેમાં નોટબંધી અને કાળાનાણાં સંબંધિત ફરિયાદો મળી રહી છે.
2/6

સામન્ય લોકો કાળાનાણાંને લઈને જાણકારી આપી શકે તે માટે પીએમઓનો એક નંબર છે. તેના પર અત્યાર સુધી 600થી વધારે કોલ આવ્યા છે અને અનેક કાળાનાણાંના કુબેરો સામે આવ્યા છે. ઉપરાંત પીએમઓની વેબસાઈટ પર સામાન્ય લોકો સંપર્ક કરી શકે તે માટે એક વિન્ડો છે, પીએમ મોદીને મેલ દ્વારા અને નરેન્દ્ર મોદી એપમાં પણ આ સુવિધા છે. તેના પર પણ કાળાનાણાંની ગુપ્ત જાણકારી લોકો મોકલી રહ્યા છે.
Published at : 24 Dec 2016 02:18 PM (IST)
View More























