શોધખોળ કરો
રાજ્યસભામાં મોદી સરકાર હારતાં મોદી લાલઘૂમ, જાણો વિપક્ષોએ ક્યા મામલે આપી પછડાટ ?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 01 Aug 2017 11:26 AM (IST)
1/6

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વખત ભાજપના સાંસદોને ગૃહમાં હાજર રહેવા સલાહ આપી હોવા છતાં ગૃહમાં સાંસદો હાજર રહેતા નથી. ગઈકાલે ગૃહમાં સાંસદો ગેરહાજર રહેતા મોદી સરકારની આબરૂનું ધોવાણ થયુ હતુ. રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાને લગતુ સંવિધાન સંશોધન વિધેયક સંસદમાં પાસ તો થયુ પરંતુ વિપક્ષનું એક સંશોધન મંજુર થઇ ગયુ. એનડીએના સાંસદોની ગેરહાજરીને કારણે આ થયુ હતું. જેને લઈને પીએમ મોદી ખૂબ જ નારાજ છે. જો કે આ બંધારણ સંશોધન બીલ છે એવામાં સંશોધિત બીલને લોકસભાથી ફરીથી પાસ કરાવવુ પડશે ત્યાં તે પાસ થયા બાદ ફરી રાજયસભામાં આવશે.
2/6

3/6

ઓબીસી આયોગની ચર્ચા દરમિયાન અનેક સભ્યોની ગેરહાજરીને કારણે મોદી અને અમિત શાહ ઘણા નારાજ છે તેઓએ એનડીએના એ સાંસદોની યાદી મંગાવી છે જેઓ ગેરહાજર હતા. સરકારના સભ્યોની ગેરહાજરીને કારણે વિપક્ષ પોતાના સંશોધન પાસ કરાવવામાં સફળ રહ્યુ. ગઇકાલે ધર્મેન્દ્ર પ્રધાન, વિજય ગોયલ, પિયુષ ગોયલ, એમ.જે.અકબર, નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ સહિત અનેક પ્રધાનો હાજર ન હતા. વોટીંગ દરમિયાન એનડીએના અનેક સાંસદો અને પ્રધાનો હાજર ન હતા. વોટીંગ દરમિયાન એનડીએના સાંસદોની ગેરહાજરીને કારણે સરકાર હારી ગઇ અને વિપક્ષનું એક સંશોધન પાસ થઇ ગયુ.
4/6

આ ખરડો સામાજીક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે રજુ કર્યો હતો. તેમણે આ ખરડાનો હેતુ અને કારણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, આ ખરડા થકી દેશમાં પછાતવર્ગોના હિતોને યોગ્ય રીતે સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગ અને રાષ્ટ્રીય જનજાતિ આયોગની જેમ પછાતવર્ગ આયોગને પણ બંધારણીય દરજ્જો આપી શકાશે. આ બીલ પાસ કરાવતી વખતે કોંગ્રેસના સાંસદોના સંશોધન પાસ થઇ ગયા. એક કલાક સુધી ચર્ચા ચાલી હતી અને તે પછી સરકાર સંશોધિત બીલને પાસ કરાવવા આખરે તૈયાર થઇ હતી. આ ખરડો આવ્યો ત્યારે ગૃહમાં માત્ર ૧ર૬ સભ્યો ઉપસ્થિત હતા. આનાથી ભાજપ અને સરકારની આબરૂનું ધોવાણ થયુ હતુ. વિપક્ષે સરકાર પર આ બીલને હળવાશમાં લેવાનો આરોપ મુકયો હતો.
5/6

બંધારણીય સંશોધન વિધેયક ર૦૧૭માં કલોઝ-૩ને હટાવવુ પડયુ જે કમીશનના સંગઠન સાથે જોડાયેલુ હતુ. રાજયસભામાં આ કલોઝ અસ્વીકાર થવાનો મતલબ એ થયો કે સરકારે ફરીથી લોકસભામાં આ માટે નવો ખરડો રજુ કરી પાસ કરાવવો પડશે ત્યારબાદ રાજયસભામાં પસાર કરવો પડશે. ગઇકાલે રાજયસભામાં દિગ્વિજયસિંહ, બી.કે.હરિપ્રસાદ વગેરેએ સરકારના ખરડામાં અનેક સંશોધનો રજુ થયા હતા. કોઇ સામાન્ય ખરડા બહુમતીથી પસાર થઇ જાય છે પરંતુ આ બંધારણીય વિધેયક હતુ તેથી તેને પાસ કરાવવા બે તૃતીયાંશ મતોની જરૂર હતી.
6/6

રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ભાજપના સાંસદો સાથેની બેઠકમાં તેઓને સંસદના ચોમાસુ સત્રમાં સંપુર્ણપણે હાજરી આપવા કહેવામાં આવ્યું હતું પરંતુ ગઇકાલે મોદી સરકારને એ સમયે અસહજ સ્થિતિનો સામનો કરવો પડયો કે જયારે રાજયસભામાં સરકારના બંધારણ સંશોધન વિધેયકની એક મહત્વની જોગવાઇને હટાવી પડી કારણ કે તેની પાસે પુરતી સંખ્યામાં સાંસદો હાજર રહ્યા નહોતા.
Published at : 01 Aug 2017 11:26 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
દેશ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ
ખેતીવાડી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ટ્રેન્ડિંગ સમાચાર






















