શોધખોળ કરો
જૈન સમાજના મોટા સાધુએ 36 વર્ષની વયે કરી લીધો આપઘાત, લખ્યું: હમ સાધુ હોકર ગલત કામ કર રહે હૈં...
1/4

ભોપાલઃ શ્રી ચંપાપુર દિગંબર જૈન રિદ્ધક્ષેત્ર મંદિરના રૂમમાં મંગળવારે જૈન મુનિ વિપ્રન સાગર જી મહારાજ (36 વર્ષ)એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. સાંજે તેમનો મૃતદેહ રૂમમાં પંખા સાતે લટકેલ મળ્યો હતો. જાણકારી મળવા પર નાથનગર અને લલમટિયા પોલીસ સ્ટેશનથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી. રૂમમાં સુસાઈડ નોટ મળી છે. સિટી ડીએસપી રાજવંશ સિંહે કહ્યું કે, મૃતદેહનું બુધવારે પોસ્ટમોર્ટર કરાવવામાં આવશે.
2/4

મંગળવારે બપોરના જૈન મુનિ વિપ્રન સાગરજી આહાર બાદ મંદિરના રૂમ નંબર ત્રણમાં ગયા હતા. એ પછી તેઓ બહાર આવ્યા નહોતા. સાંજના સમયે વિપ્રન સાગર મહારાજે દરવાજો ના ખોલ્યો ત્યારે જૈન સમાજના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે દરવાજો નહી ખુલતા ત્યાં હાજર લોકોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અંદર પ્રવેશતા જ છત પરના પંખા સાથે જૈન મુનિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેમના ગળામાં પ્લાસ્ટિકની દોરીનો ફંદો હતો.
Published at : 01 Nov 2018 10:38 AM (IST)
View More





















