શોધખોળ કરો
કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર દુજાનાને કર્યો ઠાર
1/3

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સેનાને પુલવામાના હકરીપોરા ગામમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેના અને લશ્કરના આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટ ચાલી રહ્યું છે. બંને બાજુથી ખૂબ હેવી ફાયરિંગ થઈ રહ્યું છે. અહીં લશ્કરના કમાન્ડર સહિત 2 આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
2/3

કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં શિખ ઈંફેંટ્રી રેજિંમેન્ટના જવાન મનદીપ સિંહનું માથું વાઢ્યું હોવાની ખાનગી એજન્સીને માહિતી મળી હતી. ખાનગી એજન્સીને માહિતી મળી હતી કે, આ ઘટના પાછળ પાકિસ્તાની આર્મીની સાથે લશકર-એ-તૈયબાના ટોપ કમાન્ડર અબુ દુજાનાનો પણ હાથ છે. શરૂઆતની તપાસમાં માહિતી મળી હતી કે અબુ દુજાનાએ જ શહીદ મનદીપ સિંહનું માથું વાઢ્યું અને તેના મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યો હતો. તેની સાથે આંતકીઓની ટુકડીની સાથે સાથે પાકિસ્તાની કમાન્ડર્સ પણ હતા.
Published at : 01 Aug 2017 09:53 AM (IST)
View More























