શોધખોળ કરો
મુંબઈના કમલા મિલ્સ કંપાઉન્ડ સ્થિત રેસ્ટોબારમાં ભીષણ આગ, 15નાં મોત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 29 Dec 2017 09:01 AM (IST)
1/9

2/9

3/9

4/9

તાજેતરમાં જ ટેરેસ બાર ‘લંડન ટેક્સી’ મુંબઇના યંગર્સ્ટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. બીજા માળની ખુલી છતને થોડાંક દિવસો પહેલાં જ ઢાંકવામાં આવી હતી. બાંધકામ કર્યા બાદ નકામા લાકડા પણ ઘણા બધા પડ્યા હતા, આથી શકય છે કે આગળ એટલે લાગી હોય. શુક્રવાર અને શનિવારની રાત્રે આ પબમાં પ્રવેશવા માટે લાંબી લાઇન લાગે છે.
5/9

બીએસમીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટે કહ્યું કે સ્થળ પર ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ, 3 જેટી, અને પાંચ ટેન્કર તરત મોકલવામાં આવ્યા. ફાયર બ્રિગેડના કર્મચારી આસપાસ આસપાસ આવેલ ઓફિસ બિલ્ડિંગને પણ બચાવામાં લાગી ગયા. આગ લાગતા જ કર્મચારી બહારની તરફ ભાગ્યા તેઓ એટલે આઘાતમાં હતા કે ઘટના અંગે કંઇ કહી જ શકાય નહોતા. ફાયરબ્રિગેડને રાત્રે 12:30 વાગ્યે આગ લાગ્યાની માહિતી મળી. આગ ખૂબ જ ભીષણ હતી કે ઉપરના માળ સુધી પહોંચવા માટે ફાયરબ્રિગેડને સ્પેશ્યલ સીડીઓનો ઉપયોગ કરવો પડ્યો.
6/9

બીએમસીના કમિશ્નર અજય મહેતા અને મનપાના એડિશનલ કમિશ્નર આઇ.પી.કુંદન એ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી. બીજીબાજુ ફાયરબ્રિગેડના ડેપ્યુટી ચીફ કે.વી.હિવરાલે કહ્યું કે લંડન ટેક્સી બાર અકસ્માતની તપાસ કરાશે.
7/9

પોલીસ અધિકારીએ કહ્યું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે જે ટેરેસ પર આવેલ રેસ્ટોરાંમાં એક પાર્ટીમાં સામેલ થવા આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની 8 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. KEM હોસ્પિટલના ડીન એ કહ્યું કે ઘાયલ અવસ્થામાં 21 લોકોને અહીં લવાયા હતા. બીજીબાજુ બ્રીચ કેન્ડી હોસ્પિટલે 10થી 15 ઘાયલોને લાવવાની પુષ્ટિ કરી છે. એક અધિકારીએ કહ્યું કે કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જ્યારે કેટલાંક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
8/9

આગ સૌથી પહેલાં 1-અબવા રેસ્ટોરાંમાં લાગી. તેના વાસ અનેપ્લાસ્ટિકથી બનેલા શેડ સળગી ગયા. આ આગ ફરીથી બીજી બિલ્ડિંગમાં હાજર બે બારો-મોજો અને લંડન ટેક્સીમાં ફેલાઇ. રેસ્ટોરામાં હાજર લોકો વોશરૂમમાં છુપાઇને પોતાને બચાવાની કોશિષ કરવા લાગ્યા અને તેમાં ફસાઇ ગયા. તેમને જવાનો રસ્તો મળ્યો નહીં. મોટાભાગના લોકો વોશરૂમ એરિયામાં મરી ગયા છે. જે લોકો ઉપરના માળામાં ફસાયા હતા તેમને કોઇપણ રીતે બીજી બિલ્ડિંગમાં જવામાં સફળ રહ્યાં જ્યાંથી તેમને ફાયર બ્રિગેડે સ્પેશયલ લેડરના સહારે બચાવ્યા.
9/9

મુંબઇના કમલા મિલ કંપાઉન્ડ સ્થિત અબવ રેસ્ટોરાં, લંડન ટેક્સી બાર અને મોજો પબમાં મોજો પબમાં ગુરૂવાર મોડી રાત્રે ભીષણ આગળ લાગવાથી 15 લોકોનાં મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તના અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બે ની સ્થિતિ ગંભીર છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)એ 15 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પોલીસ એ 1-અબવ રેસ્ટોરાંની વિરૂદ્ધ આઇપીસીની કલમ 304ની અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ માલુમ પડી નથી.
Published at : 29 Dec 2017 09:01 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાત
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરા
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી, 362 કિલો જથ્થો ઝડપાયો
ધર્મ-જ્યોતિષ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
ટ્રેન્ડિંગ સમાચાર






















