શોધખોળ કરો
કર્ણાટકની રાજનીતિમાં સુનામી, અપક્ષના બે MLA એ સમર્થન પરત ખેંચ્યું, BJP નેતાનો સરકાર બનાવવાનો દાવો
1/4

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની રાજનીતિમાં એકવાર ફરી સુનામી આવી ગઇ છે. એચડી કુમારસ્વામી સરકારને સમર્થન આપનાર અપક્ષના બે ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું છે. તેઓએ સમર્થન પરત ખેંચવાનો પત્ર રાજ્યપાલને મોકલી દીધો છે. એવામાં ફરી એકવાર કર્ણાટકની કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાતા નજર આવી રહ્યાં છે.
2/4

નોંધનીય છે કે કર્ણાટકમાં કુલ 224 બેઠકો છે અને કોઈ પણ પક્ષ પાસે પૂર્ણ બહુમત નથી. ભાજપ પાસે 104 સીટો છે. જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 80 અને જેડીએસ 37 સીટો પર જીત મેળવી હતી. અહીં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે.
Published at : 15 Jan 2019 05:30 PM (IST)
View More





















