શોધખોળ કરો
લાલુએ JDUની માગ ફગાવી, કહ્યું- તેજસ્વી રાજીનામું નહીં આપે
1/4

રેલવે ટેન્ડર સ્કેમ અને આવક કરતા વધુ સંપત્તિ મામલે ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું પ્રેશર વધી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાસ રણનીતિ ઉપર કામ કરી રહી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો તેજસ્વીને રાજીનામું આપવું પડશે તો તેની સાથે આરજેડીના 12 મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે. જોકે, સરકારને આરજેડીનું સમર્થન તો ચાલુ જ રહેશે. તેનાથી મહાગઠબંધનની સરકાર પર કોઈ અસર નહીં થાય અને બીજેપીની ઈચ્છાઓ ઉપર પાણી ફરી જશે.
2/4

જેડીયૂના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ નીતિશ કુમાર સાથે લાંબી વાત કરીને ગઠબંધન નહીં તોડવા જણાવ્યું હતું. સોનિયાએ સલાહ આપી હતી કે બંને નેતા મળીને કોઈ પણ મતભેદ હોય તો તેનો ઉકેલ લાવે. સોનિયા તરફથી કરવામાં આવેલા આ પ્રયત્ન પછી પ્રવક્તાઓના સુર પણ બદલાઈ ગયા છે.
Published at : 15 Jul 2017 11:49 AM (IST)
View More























