શોધખોળ કરો
નોટબંધી ભૂલ હતી તેમ મોદીએ સ્વીકારી લેવું જોઈએ, જાણો ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન
1/5

મનમોહને કહ્યું કે, નોટબંધી અર્થતંત્રમાં પ્રવર્તમાન અસમાનતાને વધુ પહોળી બનાવે તેવી સંભાવના વધી ગઈ છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં આ પ્રકારની આર્થિક અસમાનતા સામાજિક સંતુલન પણ ખોરવી નાંખી શકે છે. તેમણે નોટબંધીને ‘વિચારહીન’ અને ‘ઐતિહાસિક’ ભૂલ તરીકે ગણાવી હતી. પૂર્વ વડાપ્રધાને કેશલેસ અર્થતંત્રની સરાહના કરી હતી પણ સાથેસાથે તેમણે કહ્યું કે, આપણે આર્થિક પ્રાથમિકતાઓને પણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવાની જરૂર છે.
2/5

નોટબંધી અંગેની ટીકાને ચાલુ રાખતાં વિદ્વાન અર્થશાસ્ત્રી એવા મનમોહને કહ્યું કે, આ નિર્ણયની એક નહીં પણ એકથી વધુ અસરો સર્જાયેલી છે. તેમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયથી દેશના આર્થિક રીતે નબળા વર્ગ પર સૌથી મોટી અસર થઈ છે અને કોઈ આર્થિક ઈન્ડિકેટર જોઈ શકે નહીં તેના કરતાં પણ તેની અસર ગંભીર છે.
Published at : 07 Nov 2017 08:24 AM (IST)
View More























