શોધખોળ કરો
#MeToo: નાના પાટેકર પર લાગેલા આરોપ પર બોલ્યા રાજ ઠાકરે, કહ્યું- ‘હું જાણું છું કે નાના પણ શરીફ નથી’
1/3

ઠાકરેએ આગળ કહ્યું કે, એવું લાગે છે કે આ બધું પેટ્રોલના વધતા ભાવ અને રૂપિયાના થઈ રહેલા અવમૂલ્યન પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે. #MeToo અંતર્ગત મહિલાઓ દ્વારા જણાવવામાં આવેલી આપવિતી ઘણી દુઃખદ છે. અમે આરોપીઓને પદાર્થપાઠ ભણાવીશું પરંતુ મહિલાઓએ તેમની સાથે બનેલી ઘટનાની ફરિયાદ તે જ સમયે કરી દેવી જોઈએ. આ માટે 10 વર્ષ રાહ ન જોવી જોઈએ.
2/3

એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું, હું નાના પાટેકરનું જાણું છું, તેઓ શરીફ નથી. તે ઘણી વખત મર્યાદા ભૂલી જાય છે. પરંતુ તે આ પ્રકારની હરકત ક્યારેય ન કરી શકે. આ મામલો કોર્ટમાં છે. #MeToo મૂવમેન્ટ એક ઘણો ગંભીર મુદ્દો છે. તેને લઈ ટ્વિટર પર ચર્ચા કરવી યોગ્ય નથી.
Published at : 18 Oct 2018 01:24 PM (IST)
View More





















