રામનાથ કોવિંદે સંબોધન કરતા કહ્યું કે, તહેવાર આપણને ઇમાનદાર જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. સાથે તેઓએ વિજયા દશમી પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું આ તહેવાર જીવનમાં સારી વસ્તુ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.
3/4
આ ઉપરાંત દશેરાની ઉજવણી કરવા માટે કોંગ્રેસ પાર્ટીથી સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી સહિત કેટલાક નેતા દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા.
4/4
નવી દિલ્હી: દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વડાપ્રધાન મોદી અને રામનાથ કોવિંદ દિલ્હીના રામલીલા મેદાનમાં પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળાનું દહન કર્યું હતું. સમારોહમાં પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન અને દિલ્હી ભાજપા પ્રમુખ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા.