આ દરમિયાન રાહુલ ગાંધીએ દાન પેટીમાં નાખવા માટે 500 રૂપિયાની નોટ કાઢી હતી પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આચાર સંહિતાનો ઉલ્લેખ કર્યો. આ સાંભળતા રાહુલ ગાંધીએ નોટ પાછી ખિસ્સામાં નાખી દીધી હતી. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ દતિયાના પ્રસિદ્ધ પીતામ્બરા માતા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. સાથે મોતી મસ્જિદમાં પણ ઇબાદત કરી હતી.
2/3
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તાજેતરમાં જ મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે ગ્વાલિયર કિલ્લામાં આવેલા દાતાબંદી છોડ ગુરુદ્ધારામાં માથું ટેકવ્યું હતું. ગુરુદ્ધારા કમિટિએ રાહુલ અને અન્ય નેતાઓનું સ્વાગત કર્યું હતું.
3/3
આ દરમિયાન રાહુલ સાથે પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દીપક બાબરિયા પણ હાજર રહ્યા હતા. ગુરુદ્ધારા પ્રબંધક કમિટિએ રાહુલને સરોપા ભેટમાં આપી હતી. રાહુલ ગાંધી લગભગ 15 મિનિટ સુધી ગુરુદ્ધારામાં રોકાયા હતા.