શોધખોળ કરો
500 અને 2000ની નવી નોટને મે-જુનમાં જ મળી હતી મંજૂરી, તો ઉર્જીત પટેલની સહઈ કેવી રીતે આવી? જાણો ચોંકવનારો ખુલાસો
1/4

એનડીટીવી દ્વારા ફાઇલ કરવામાં આવેલ આરટીઆઇની અરજીના સંદર્ભમાં રિઝર્વ બેંકે આ જવાબ પાઠવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે નવી પ૦૦ અને ર૦૦૦ની નોટ ૧૦ નવેમ્બર ર૦૧૬ના રોજ જારી કરી હતી. આ બંને નોટની ડિઝાઇન સરકારે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. રિઝર્વ બેંકે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા સરકારે જેનુ ૮૬ ટકા સર્કયુલેશન હતુ તે પ૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી હતી.
2/4

આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યુ છે કે, સેન્ટ્રલ બોર્ડે ર૦૦૦ની નવી નોટ છાપવાની સ્વીકૃતી ૧૯મી મે ર૦૧૬ના રોજ આપી હતી. જયારે ર૦૦૦ રૂપિયાની નોટ છાપવાની સહમતી બની ત્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે સવાલ એ થાય છે કે પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ ઉપર વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે?
Published at : 03 Feb 2017 09:45 AM (IST)
View More























