શોધખોળ કરો
વાજપેયીજીએ હળવી શૈલીમાં લખેલું: યહાં ભી એક બારાત ચઢ રહી હૈ ઔર અડવાણી જી ઉસ મેં દુલ્હા હૈં...
1/3

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એડિશનલ સોલિસિટર શ્યામ સુંદર લાદરેચા પણ શોકમાં ગરકાવ છે. લાદરેચાએ જણાવ્યું કે, તે આરએસએસ સાથે જોડાયા ત્યારથી અટલ બિહારી વાજપેયીના સંપર્કમાં હતા. દેશમાં ભાજપની સરકાર બનાવવાનું સપનું અટલ બિહારી વાજપેયીના જીવનમાં એક જનૂનની જેમ હતું, જેને તેમણે પોતાના જીવનમાં જ પૂરું કરીને બતાવ્યું.
2/3

વાત એમ છે કે, એડિશનલ સોલિસિટર શ્યામ સુંદર લાદરેચાના વર્ષ 1991માં લગ્ન થયા હતા. ત્યારે તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અને તત્કાલીન સાંસદ અટલ બિહારી વાજપેયીને પત્ર લખીને પોતાના લગ્નમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. તેના પર અટલ બિહારી વાજપેયીએ પોતાના કવિ હૃદયથી જે જવાબ આપ્યો તેમાં તેમની અટલ ઇચ્છા જોવા મળી હતી. તેમણે શ્યામ સુંદર લાદરેચાને પત્રમાં લખ્યું કે, ‘અહીં પણ એક વરખોડો નીકળવાનો છે, જેમાં આડવાણી વરરાજા છે અને તેમના દિલ્હી સરકાર સાથે લગ્ન કરીને લાવવાના છે.’
Published at : 17 Aug 2018 12:48 PM (IST)
View More





















