શોધખોળ કરો

જો આપ ભોજન સાથે ફળ ખાતા હો તો તેના નુકસાન જાણી લો, ફળના સેવનનો યોગ્ય સમય આ છે

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી માનવામાં આવે છે. સંતુલિત આહારનો અર્થ થાય છે વિવિધ પ્રકારની શાકભાજી, ફળો, આખા અનાજ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી માનવામાં આવે છે. સંતુલિત આહારનો અર્થ થાય છે વિવિધ પ્રકારની શાકભાજી, ફળો, આખા અનાજ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનું મહત્તમ માત્રામાં સેવન કરવું. હેલ્થ એક્સપર્ટના મતે દરેક લોકો માટે દરરોજ ફળોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ફળ ખાવાથી આહારમાં વૈવિધ્ય આવે છે, સાથે જ તેમાં રહેલા પોષક તત્ત્વો શરીર માટે વિટામિન, પ્રોટીન અને અન્ય આવશ્યક તત્ત્વો પૂરા પાડી શકે છે. ડાયેટિશિયન્સનું કહેવું છે કે, સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં ત્રણ અલગ-અલગ પ્રકારની શાકભાજી ખાવી જોઈએ, તેવી જ રીતે આપના આહારમાં ફળોનો સમાવેશ કરવો પણ ખૂબ જ જરૂરી છે.

દૈનિક આહારમાં દરરોજ બે પ્રકારના ફળોનું સેવન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. મોટાભાગના ફળોના સેવનથી શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે, વજન ઓછું કરી શકાય છે અને પોષક તત્વો સરળતાથી મળી રહે છે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, ફળો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવા જોઈએ. આયુર્વેદ મુજબ ભોજન સાથે ફળોનું સેવન ન કરવું જોઈએ, શા માટે? આગળની સ્લાઈડ્સમાં જાણીએ

આવી સમસ્યાઓનો ભોગ બની શકે છે

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે ફળોને અન્ય વસ્તુઓ અથવા ખોરાક સાથે ખાવાના કિસ્સામાં સૌથી પહેલા ભારે ખોરાકનું પાચન થાય છે, જેના કારણે ફળોને લાંબા સમય સુધી પચ્યા વિના પેટમાં રહેવું પડે છે. આ સ્થિતિ શરીર માટે અપચોની સાથે પોષક તત્વોને શોષવાનું પણ મુશ્કેલ બનાવી શકે છે. આ ઉપરાંત, દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો સાથે ફળો ખાવાથી ખીલ, સોરાયસિસ અને ખરજવું જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે?
આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે ફળ ખાવાને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ સમયે તમારું પેટ ફળોમાંથી મહત્તમ પોષક તત્વોને શોષી શકે છે. ઉપરાંત, સવારે અને વર્કઆઉટ પહેલાં અને પછી સાદા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું શ્રેષ્ઠ છે. સૂર્યાસ્ત પછી હલકા ફૂડનું વસ્તુઓનું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સાંજે ફળો ન ખાવા જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સાંજે ફળોનું સેવન ન કરવું જોઈએ. સાંજે ફળ ખાવાથી ઊંઘ અને પાચન પ્રક્રિયામાં ખલેલ પડે છે. આયુર્વેદ અનુસાર, ફળ સાંજે 4 વાગ્યા પહેલા અથવા સૂર્યાસ્ત પહેલા ખાઈ શકાય છે. ફળોમાં સરળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જેનો અર્થ છે કે તે સરળતાથી તૂટી જાય છે. આ તમને ત્વરિત ઉર્જા આપે છે અને બ્લડ સુગરનું સ્તર તરત જ વધારી શકે છે. સૂવાના સમયે બ્લડ સુગરમાં વધારો તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. ઉપરાંત, સૂર્યાસ્ત પછી, આપણું ચયાપચય ધીમો પડી જાય છે અને પાચન તંત્ર માટે કાર્બોહાઇડ્રેટ્સનું પાચન કરવું મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે સાંજે મર્યાદિત માત્રામાં કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું વધુ સારું છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident News: અમદાવાદમાં ગંભીર અકસ્માત!, AMTS બસ રિપેર કરતા સમયે કચડાયા બે ફોરમેનUniform Civil Code: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ! દેશનું પ્રથમ રાજ્ય બન્યુંMahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Embed widget