શોધખોળ કરો

Research: એગના સેવનથી આ જીવલેણ ખતનાક રોગનું વધે છે જોખમ, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

Eggs and Cancer :ન્યુટ્રિશન ફેક્ટ્સ વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, ઈંડાને ખાવા માટે જે રીતે રાંધવામાં આવે છે તે તેની આડઅસર નક્કી કરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડા કાર્સિનોજેનિક કેમિકલનો સ્ત્રોત બની શકે છે, જે ઊંચા તાપમાને તળતી વખતે બને છે. તે એમ પણ કહે છે કે બાફેલા ઈંડા તળેલા ઈંડા કરતાં વધુ સુરક્ષિત છે

Eggs and Cancer : જ્યારે પણ પ્રોટીનયુક્ત ખોરાકની વાત આવે છે, ત્યારે ઇંડાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે નાસ્તો, લંચ અને ડિનર માટે ગમે ત્યારે ખાઈ શકાય છે. ઈંડાને આહાર માટે જરૂરી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રોજ એક ઈંડું ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈંડા ખાવાથી પણ કેન્સર થઈ શકે છે? તાજેતરમાં એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં થોડા ઈંડા ખાવાથી કેન્સરનું જોખમ 19% વધી શકે છે. ચાલો જાણીએ આ સંશોધન વિશે...

 ઈંડા ખાવાથી કેન્સર થવાનો ખતરો

ન્યુટ્રિશન ફેક્ટ્સ વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, ઈંડાને ખાવા માટે જે રીતે રાંધવામાં આવે છે તે તેની આડઅસર નક્કી કરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડા કાર્સિનોજેનિક કેમિકલનો સ્ત્રોત બની શકે છે, જે ઊંચા તાપમાને તળતી વખતે બને છે. તે એમ પણ કહે છે કે બાફેલા ઈંડા તળેલા ઈંડા કરતાં વધુ સુરક્ષિત છે, જે કેન્સરનું જોખમ બમણું કરી શકે છે. આ જ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં થોડાક ઈંડા પણ કોલોરેક્ટલ કેન્સરના 19 ટકાના વધુ જોખમ સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ જો તમે અઠવાડિયામાં ત્રણ કે તેથી વધુ ઈંડા ખાઓ તો આ જોખમ 71 ટકા વધી શકે છે.

શા માટે ઇંડા આટલું જોખમી છે?

ઈંડાં અને કેન્સર ન્યુટ્રિશન ફેક્ટ્સ વેબસાઈટના એક વિડિયો અનુસાર, ઈંડામાં કોલીનનું પ્રમાણ વધુ હોય છે અને જ્યારે આ કોલીન આંતરડાના બેક્ટેરિયાનો સંપર્ક કરે છે, ત્યારે તે ટ્રાઈમેથાઈલામાઈન (TMA) માં પરિવર્તિત થાય છે, જે આપણા લીવર દ્વારા ઓક્સિડાઈઝ થાય છે અને ટ્રાઈમેથાઈલામાઈન-એન-ઓક્સાઈડ (TMAO) માં પરિવર્તિત થાય છે, જે કેન્સરના વિકાસમાં વધુ વધારો કરે છે. એવું કહેવાય છે કે TMAO સ્તર સોજો  ઓક્સિડેટીવ સ્ટ્રેસ  અને ગાંઠોને વધુ ઉતેજીત કરે  છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને કોલોન અને લીવર કેન્સર.

અન્ય એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈંડાથી કેન્સર થાય છે

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં પણ કહેવામાં આવ્યું છે કે ઇંડા કેન્સરનું કારણ બની શકે છે.

'Egg Consumption and the Risk of Cancer: a Multisite Case-Control Study in Uruguay': શીર્ષકવાળા અભ્યાસમાં 1996 અને 2004 વચ્ચે ઉરુગ્વેમાં 11 કેન્સર સાઇટ્સનો કેસ-કંટ્રોલ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 3,539 કેન્સરના કેસ અને 2,032 હૉસ્પિટલ કંટ્રોલનો સમાવેશ થાય છે. તેઓએ ઈંડાનું વધુ સેવન  અને અનેક કેન્સરના વધતા જોખમ વચ્ચેની કડી શોધી કાઢી છે.

તો શું ઈંડા ખાવાનું બંધ કરવું જોઈએ?

નિષ્ણાતો કહે છે કે અન્ય કોઈપણ ખોરાકની જેમ ઈંડાનું પણ એક મર્યાદામાં સેવન કરવું જોઈએ. એવું કહેવાય છે કે પ્રોબાયોટીક્સ, ફાઈબરથી ભરપૂર ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડ્સને મર્યાદિત કરીને આંતરડાના માઇક્રોબાયોમને સંતુલિત રાખવાથી TMAO સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર, વ્યક્તિએ અઠવાડિયામાં એક કે બે ઈંડાથી વધુ ન ખાવા જોઈએ. ઈંડાની જરદીમાં કોલેસ્ટ્રોલની પણ વધુ માત્રા હોય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
Embed widget