શોધખોળ કરો

Fennel seeds water: ગરમીમાં વેઇટ લોસની સાથે વરિયાળીના પાણીના સેવનના છે અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન

ગરમીમાં વરિયાળીના પાણીના સેવનનાઅદભૂત ફાયદા છે. વેઇટ લોસની સાથે પાચનતંત્રને પણ દુરસ્ત કરે છે. જાણીએ કેવી રીતે તેનું સેવન કરવાથી બોડી ડિટોક્સ થાય છે.

Fennel seeds water :આજકાલ દરેક વ્યક્તિ  તેની ખરાબ જીવનશૈલી અને આહારના કારણે સ્થૂળતાનો શિકાર બની રહ્યો છે. વહેલો હોય કે મોડો, પરંતુ સ્થૂળતા મોટા ભાગના લોકો માટે પરેશાનીનું કારણ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ  વર્કઆઉટ, ડાયટિંગનો સહારો લે છે. જો કે આડેધડ ડાયટિંગની પણ અનેક આડઅસરો છે.   આવી સ્થિતિમાં,  આહારમાં કેટલાક ઘરેલું ઉપચારનો સમાવેશ કરવો જ જોઇએ.  આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી તમારું વજન સરળતાથી ઓછું થઈ શકે. ખાસ કરીને ઉનાળામાં તમારે ડાયટમાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી ન માત્ર વજન ઘટે છે પરંતુ તેના અનેક  ફાયદા પણ થાય છે. જાણો વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું અને પીવું

 ફાઈબરથી ભરપૂર

વરિયાળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જ્યારે તમે વરિયાળીનું સેવન કરો છો ત્યારે તમને પેટ ભરેલું લાગે છે. વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. આના પરિણામે ઝડપી વજન ઘટે છે. જ્યારે તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

વરિયાળીમાં ઝીંક, ફોસ્ફરસ, સેલેનિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે. આ તત્વોની હાજરીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

 શરીરને ડિટોક્સ કરે છે

વરિયાળીનું પાણી એક રીતે ડિટોક્સિફાયરનું કામ કરે છે. જો તમે ભોજન ખાધા પછી વરિયાળીનું પાણી પીઓ તો તે પાચનમાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. જેના કારણે ગેસ, કબજિયાત, પેટના દુખાવાની ફરિયાદ દૂર થાય છે.

વરિયાળીનું પાણી પીવાના ફાયદા

વરિયાળીમાં પોટેશિયમ, ઝિંક, આયર્ન જેવા તત્વો હોય છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

વજન ઘટાડવું

 વરિયાળીમાં રહેલા ફાઈબરને કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.

 પાચનતંત્રને મજબૂત બનાવે છે

  વરિયાળીના બીજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે,અને શરીરને પાચનમાં મદદ કરે છે.

ઇન્સ્યુલિન લેવલમાં સુધારો,વરિયાળીનું પાણી પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત રહે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે  છે

 વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધરે છે. આ  ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે.

 હૃદયને રાખે છે સ્વસ્થ

વરિયાળીનું પાણી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે.

 પાચનતંત્રને મજબૂત બનાવે છે

 વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

આંખોની રોશની વધે છે

વરિયાળીનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે. નબળી આંખોની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.

વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું

  •  1 ચમચી વરિયાળી લો
  •  તેને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરો
  •  તેને આખી રાત પલાળી રાખો
  • સવારે તેને ઉકાળો
  • આ હુંફાળું પાણી ખાલી પેટે પીવો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Embed widget