શોધખોળ કરો

Bad Breathe: મોંઢામાંથી આવતી દુર્ગંધને કારણે શરમ અનુભવો છો, છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અપનાવો 

મોંઢામાંથી આવતી દુર્ગંધના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિના શ્વાસમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ દાંતને યોગ્ય રીતે સાફ ન કરવું છે.

How to get rid of Bad Breathe: મોંઢામાંથી આવતી દુર્ગંધના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિના શ્વાસમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ દાંતને યોગ્ય રીતે સાફ ન કરવું છે. પરંતુ ક્યારેક કાચી ડુંગળી અને લસણ જેવી વસ્તુઓ ખાવાથી પણ મોંઢામાં દુર્ગંધ આવે છે. કારણ ગમે તે હોય દુર્ગંધના કારણે લોકો તમારી સાથે વાત કરતા શરમાતા હોય છે. જેનાથી તમારી ઇમેજ બગડે છે એટલું જ નહીં તમે શરમ અનુભવો છો. તો ચાલો જાણીએ કઈ રીતે આપણે મોંઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકીએ.

મોંઢામાંથી આવતી દુર્ગંધ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે યોગ્ય રીતે બ્રશ ન કરવું અથવા તીવ્ર ગંધ ધરાવતો ખોરાક ખાવો, જેમ કે કાચી ડુંગળી વગેરે. આ સિવાય ક્યારેક મોઢાના સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાના કારણે પણ શ્વાસની દુર્ગંધની સમસ્યા થઈ શકે છે.

વ્યક્તિએ હંમેશા પાણી પીતા રહેવું જોઈએ. આમ કરવાથી તમે તમારી જાતને હંમેશા હાઇડ્રેટેડ રાખી શકો છો. પાણી પીવાથી મોંમાં લાળ ઉત્પન્ન થાય છે, જે બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને શ્વાસની દુર્ગંધને અટકાવે છે.
આપણી જીભ પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે, કારણ કે આપણી જીભ પર પણ બેક્ટેરિયા હોય છે. જેના કારણે મોંઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી, દરરોજ સવારે અને સાંજે તમારા દાંત સાફ કર્યા પછી, તમારી જીભને ચોક્કસપણે સાફ કરો.

જો તમે મોંઢામાંથી આવતી દુર્ગંધથી ચિંતિત હોવ તો ત્રણેય ભોજન ખાધા પછી ફ્લોરાઈડ આધારિત ટૂથપેસ્ટથી બ્રશ કરો. તે એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, જે શ્વાસની દુર્ગંધને ઓછી કરે છે.

ખાવા-પીવાથી આપણા મોઢાના સ્વાસ્થ્યને પણ અસર થાય છે, જેનાથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.

શ્વાસની દુર્ગંધ દૂર કરવા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ. આ માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવા જોઈએ. 

જો તમારા દાંતમાં ખોરાક ફસાઈ જાય છે, તો દરરોજ તમારા દાંતને ફ્લોસ કરો, કારણ કે તમારા દાંતમાં ફસાયેલ ખોરાકને કારણે દુર્ગંધ પણ આવી શકે છે.

જો તમને તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય, તો તમારે નિયમિત તપાસ માટે દાંતના ડોક્ટરની મુલાકાત પણ લેવી જોઈએ. દાંતના ડૉક્ટર  પ્લેક અને બેક્ટેરિયાના દાંત સાફ કરે છે, જે શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget