હવે સિગારેટની જેમ સમોસા અને જલેબી પર હશે 'વોનિંગ', કેમ સરકાર ઉઠાવી રહી છે આ પગલું?
એવું માનવામાં આવે છે કે ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકાર લોકોને ચેતવણી બોર્ડની મદદથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપશે.

હવે જલેબી અને સમોસાનની સાથે આરોગ્યને લઇને ‘વોનિંગ’ આપવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે દેશભરની કેન્દ્રીય સંસ્થાઓને "તેલ અને સુગર બોર્ડ" લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે, હવે વિક્રેતાઓએ જણાવવું પડશે કે તેઓ જે નાસ્તો પીરસી રહ્યા છે તે સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે અથવા તેમાં કેટલી સુગર અથવા અન્ય કોઈ પદાર્થ છે.
આ પગલું જંક ફૂડને સિગારેટ જેટલું ખતરનાક જાહેર કરવાની શરૂઆત છે. ટૂંક સમયમાં લાડુ, વડાપાંવ અને પકોડા જેવા સ્વાદિષ્ટ નાસ્તા પાછળ ‘વોનિંગ બોર્ડ’ જોવા મળશે, જે તમને વિચારવા માટે મજબૂર કરશે. ઉદાહરણ તરીકે, જો તમને ખબર પડે કે સમોસામાં કેટલું તેલ છે, તો શું તમે બીજું ખાતા પહેલા બે વાર વિચારશો નહીં?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એઈમ્સ નાગપુરે આ આદેશની પુષ્ટી કરી છે. ટૂંક સમયમાં આ ચેતવણી બોર્ડ ત્યાંની કેન્ટીન અને જાહેર સ્થળોએ લગાવવામાં આવશે.
કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર ચેપ્ટરના પ્રમુખ અમર અમાલેએ જણાવ્યું હતું કે, "ફૂડ લેબલિંગને સિગારેટ ચેતવણીઓ જેટલું ગંભીર બનાવવાનું આ પહેલું પગલું છે. સુગર અને ટ્રાન્સ ફેટ હવે નવું 'તમાકુ' છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે."
એવું માનવામાં આવે છે કે ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકાર લોકોને ચેતવણી બોર્ડની મદદથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપશે. તેનો અર્થ એ કે હવે દરેક સ્વાદિષ્ટ નાસ્તામાં એક બોર્ડ હશે, "ખાઓ, પણ સાવચેત રહો."
ભારતમાં સ્થૂળતાનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, 2050 સુધીમાં 44.9 કરોડ ભારતીયો સ્થૂળતાનો ભોગ બનશે. આ પછી ભારત આ બાબતમાં ફક્ત અમેરિકાથી પાછળ રહેશે. હાલમાં શહેરી વિસ્તારોમાં દરેક પાંચમો પુખ્ત સ્થૂળતાથી પીડાઈ રહ્યો છે. ખરાબ ખાવાની આદતો અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે બાળકોમાં સ્થૂળતા પણ વધી રહી છે. આ આંકડા ચિંતાજનક છે.
આરોગ્ય મંત્રાલયનું આ પગલું ખાવા-પીવાની આદતો પર નજર રાખવાનો પ્રયાસ છે. આ બોર્ડ ફક્ત ચેતવણીઓ જ નહીં પરંતુ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે વિચારવાની તક પણ આપશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















