શોધખોળ કરો

Health Tips: દારૂની લત છોડવી છે ? અપનાવો આ રામબાણ ઉપાય

ઘણા લોકો માટે કોકટેલ પીણાં વિના કોઈપણ ઉજવણી અધૂરી છે. મિત્રો સાથે ગપસપ, મસ્તીમાં, ઘણી વખત આપણે આપણી ક્ષમતા કરતા વધુ પીતા હોઈએ છીએ, જેની અસર બીજા દિવસે સવારે હેંગઓવરના સ્વરૂપમાં જોવા મળે છે.

Healh Tips: ઘણા લોકો માટે કોકટેલ પીણાં વિના કોઈપણ ઉજવણી અધૂરી છે. મિત્રો સાથે ગપસપ, મસ્તીમાં, ઘણી વખત આપણે આપણી ક્ષમતા કરતા વધુ પીતા હોઈએ છીએ, જેની અસર બીજા દિવસે સવારે હેંગઓવરના સ્વરૂપમાં જોવા મળે છે.  ઘણા લોકો કોઈ ખાસ પ્રસંગે તેઓ દારૂનુ સેવન બંધ કરી દેશે તેવો સંકલ્પ લેતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો સંકલ્પનું પાલન કરી શકે છે. દારૂ છોડવાના જ્યાં ઘણા મેડિકલ ઉપાય છે, તો તેના માટે દ્રઢ ઈચ્છાશક્તિ ખૂબ મહત્વપૂર્ણ છે.

  • દારૂની જગ્યાએ મનપસંદ પીણુ પીવો: લોકો લગ્ન સમારોહ અથવા મિત્રોની સાથે પાર્ટીમાં વારંવાર દારૂનુ સેવન કરે છે. એવામાં તમે પણ મિત્રોની સાથે પાર્ટીમાં દારૂ પીવાનુ મન કરી શકો છો. એ સમયે તમે દારૂની જગ્યાએ પોતાનુ કોઈ મનપસંદ પીણુ પીવો. આ તમને દારૂનુ સેવન બંધ કરાવવામાં મદદ કરશે
  • કારણ જાણો: જો તમે દારૂ છોડવા માંગો છો તો જરૂરી છે કે સૌથી પહેલા તેને છોડવાનુ કારણ જાણો. તમે જાણો કે તમારે દારૂ કેમ છોડવી જોઈએ. જો તમે વિચારશો કે હું કાલથી દારૂ છોડી દઈશ તો આ સરળ નથી. પરંતુ જો તમે કારણ જાણી લીધુ તો આ કારણથી હું દારૂ બંધ કરી દઈશ તો આ શક્ય છે. જેમકે જો તમને લાગે કે દારૂના કારણે તમારો પરિવાર વિખેરાઈ ગયો છે, તમે ગંભીર બિમારીના શિકાર થવાના છો, જેના કારણે તમે માન-સન્માન બધુ ગુમાવી ચૂક્યા છો તો પછી તમે દારૂ છોડવા માટે માનસિક રીતે મજબૂત થઇ શકશો. તેથી જરૂરી છે કે પહેલા કારણ જાણો અને લક્ષ્યને નક્કી કરો.
  • સ્માર્ટ લક્ષ્ય નક્કી કરો: તમે બધા સ્માર્ટ વર્ક અંગે તો જાણતા હશો. દારૂ છોડવા માટે પણ તમારે સ્માર્ટ લક્ષ્ય નક્કી કરવુ પડશે. એક વખત જો તમે લક્ષ્યોને નક્કી કરી તેમને પૂરા કરી લેશે તો પછી દારૂ છોડવુ તમારા માટે સરળ થઇ જશે. દારૂ છોડવા માટે તમે શરૂઆતમાં નાના-નાના લક્ષ્ય નક્કી કરો. જેમકે અઠવાડિયામાં ત્રણ દિવસ પીવામાં કટોતી કરવી. આ રીતે ધીરે-ધીરે પીવામાં ઘટાડો દિવસે-દિવસે વધારતા જાઓ, જ્યાં સુધી તમે પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચતા નથી. આ ઉપરાંત દારૂની માત્રાને સતત ઘટાડતા જાવો.
  • પોતાના લક્ષ્યોને બીજા સાથે શેર કરો: વિશેષજ્ઞોનુ માનવુ છે કે પોતાના લક્ષ્યોને મિત્ર, પરિવાર અથવા કોઈ શુભચિંતકની સાથે શેર કરવાથી તેને પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. તેથી તમે પણ દારૂ છોડવાના પોતાના લક્ષ્યોને પોતાના શુભ ચિંતકો સાથે શેર કરો. જેનાથી તમને દારૂ છોડવામાં સરળતા રહેશે.


Health Tips: દારૂની લત છોડવી છે ? અપનાવો આ રામબાણ ઉપાય

પાર્ટીમાં હેંગઓવર થયા બાદ કેવા કરશો ઉપાય

નાળિયેર પાણી 

હેંગઓવરથી છુટકારો મેળવવા માટે નારિયેળ પાણી ફાયદાકારક છે. વધુ આલ્કોહોલ લેવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હાજર હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.

લીંબુ પાણી 

હેંગઓવરથી છુટકારો મેળવવા માટે લીંબુ પાણી એ સૌથી અસરકારક રીતોમાંથી એક છે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે લીંબુ પાણી સિવાય તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો. આ માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ નીચોવીને પીવો.

મધ

હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. મધમાં આલ્કોહોલને કારણે થતી આડઅસરો ઘટાડવાની શક્તિ છે. આ સાથે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળશે.

દહીં

જો આલ્કોહોલ વધુ પીવાય ગયો હોય તો તેના કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં પણ દહીંનું સેવન ફાયદાકારક છે. માત્ર એટલું ધ્યાન રાખો કે દહીં ખાંડ કે મીઠું નાખ્યા વગર એકલું જ ખાવું જોઈએ.

કેળા 

હેંગઓવરથી છુટકારો મેળવવામાં કેળા પણ અસરકારક છે. તેમાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. આ સ્થિતિમાં કેળા ખાવાથી ફાયદો થશે.

ફુદીનો

3-4 ફુદીનાના પાનને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી હેંગઓવર પણ મટે છે. આ ગેસની સમસ્યા નથી થતી અને આંતરડાને આરામ મળે છે.

મહત્વપૂર્ણ ટીપ્સ

શરીરમાં પાણીની કમી ન થવા દો, કારણ કે આલ્કોહોલ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. તેમજ પૂરતી ઊંઘ લો. જેના કારણે શરીર અને મન હળવા રહેશે.

Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બાબતની  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
Embed widget