શોધખોળ કરો

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો

Nagardevi Bhadrakali Mataji Nagar Yatra: આ નગરયાત્રા ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક ચછા બહુચર માતાજી મંદિર ખાતે જશે

Nagardevi Bhadrakali Mataji Nagar Yatra: આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને સાથે સાથે રંગીલા અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે, આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સ્થાપના થઇ હતી, આ વાતને આજે 614 વર્ષ વીતી ગયા છે. પરંતુ ખાસ વાત છે કે, આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી રહી છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. આજે ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા શરૂ થઈ ગઈ છે. આ નગરયાત્રાનો રૂટ શહેરમાં 6.25 કિ.મી. લાંબો રહેશે. આ નગરયાત્રા ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક ચછા બહુચર માતાજી મંદિર ખાતે જશે અને પાદુકાની આરતી ઉતારવામાં આવશે.

અમદાવાદના 614માં સ્થાપના દિવસે ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં માતાજીનો રથ, પાંચ છોટા હાથી, હાથી, અખાડા, નાસિક ઢોલ ગૃપ, પાંચ સાધુની ધજા, બેન્ડ વાજા, ડીજે ટ્રક, ત્રણ ભજન મંડળી, 15 ગાડી, 100 ટુ વ્હીલરોનો સમાવેશ થયો છે. ભક્તોમાં ભારે ઉલ્લાસ દેખાઈ રહ્યો છે. નગરયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે પોલીસે સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ભદ્રકાળી માતા કેમ શહેરમાં વસી ગયા ?
નગરયાત્રા દરમિયાન અમારા સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યુ કે, આજે આનંદ પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. માતાજીની નગરયાત્રા હવે દર વર્ષે નીકળે તેવો અમારો સંકલ્પ છે. માતાજી સાથે એક કથા પણ વણાયેલી છે કે, માતાજી આપણું શહેર છોડીને જતા હતા ત્યારે એમણે ચોકીદારને કહ્યુ હતુ કે, ખોલ દરવાજો મારે અહીંથી જતું રહેવું છે અહીંનો જે બાદશાહ છે એ બરાબર કામ નથી કરતો. હું હેરાન થઈ ગઈ છે. એટલે ચોકીદારે કહ્યુ કે, ઉભા રહો મા હું બાદશાહને બોલાવી લાવ છું અને તેણે માતાજી પાસેથી વચન લીધું કે, હું ના આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો. ચોકીદાર બાદશાહ પાસે જઈને તેને આખી વાત જણાવી કે, મા ભદ્રકાળી - મા લક્ષ્મી શહેર છોડીને જઈ રહ્યા છે. તમે કાંઈ કરો નહીં તો શહેર બરબાદ થઈ જશે. તમે મારું માંથુ કાપી નાંખો હું નહીં જવ ત્યાં સુધી માતાજી ત્યાં જ રહેશે. તો બાદશાહે ચોકીદારનું ગળું કાપી નાંખ્યું અને માતાજી ભદ્રકાળી કિલ્લામાં વિરાજમાન થયા.

26મીએ સવારે ચાર વાગ્યાથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક થઇને મ્યુનિ. કોઠા, ગોળલીમડા ખમાસા ચાર રસ્તાથી જગન્નાથ મંદિરથી શાકમાર્કેટથી ફુલબજાર, મહાલક્ષ્મી મંદિરથી અખાડાનંદ સર્કલ થઇ અપનાબજાર, સીદીસૈયદની જાળીથી ભદ્રકાળી માતાજીના મંદિર સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અહીં અવર જવર કરનાર વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં વીજળી ઘરથી પાલિકા બજાર થઇને નહેરૂબ્રિજ, એલિસબ્રિજથી વિક્ટોરીયા ગાર્ડન, ગોળલીમડાથી રાયપુર દરવાજા થઇને જમાલપુર, જમાલપુર ચાર રસ્તાથી ફુલ બજારથી રિવરફ્રન્ટ થઇને રૂપાલીથી નહેરૂબ્રિજ તરફ વાહનચાલકો અવર જવર કરી શકશે.

આ પણ વાંચો

Gujarat: આંદોલન બાદ TET-TAT મુદ્દે સરકાર એક્શનમાં, માર્ચેમાં ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન અને એપ્રિલમાં કરાશે ભરતી

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Embed widget