શોધખોળ કરો

Health: આ ફળોને હેલ્ધી સમજી બાળકોને આપવાની ન કરશો ભૂલ, જાણો નુકસાન

12 મહિનાની ઉંમર પહેલા બાળકોને ક્યારેય ખાટા ફળો ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, આ ફળો એસિડિક હોય છે. જેના કારણે બાળકની ત્વચા પર ફોલ્લીઓ થઇ શકે છે.

Health:ફળ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. તે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. બાળકોને નાની ઉંમરથી જ ફળો જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઈએ. જો કે કેટલાક ફળો બાળકોના સ્વાસ્થ્ય માટે સારા ગણાતા નથી. આમાં ગ્રેપફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ગ્રેપફ્રૂટને આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. જો કે બાળકોને આ ફળો ખવડાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા તેઓને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ બાળકોને ગ્રેપફ્રૂટ ક્યારે ખવડાવવું જોઈએ અને ક્યારે નહીં...

 બાળકોને ગ્રેપફ્રૂટ ખવડાવવું જોઈએ કે નહીં?

12 મહિનાની ઉંમર પહેલા બાળકોને ક્યારેય ખાટા ફળો ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, આ ફળો એસિડિક હોય છે. જેના કારણે બાળકની ત્વચા પર ફોલ્લીઓ દેખાઈ શકે છે. જો કે, બાળરોગ નિષ્ણાતની સલાહ પર, 6 મહિના પછી બાળકોને ગ્રેપફ્રૂટ ખવડાવી શકાય છે.

 કયા બાળકોને ગ્રેપફ્રૂટ ન ખવડાવવા જોઈએ?

અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અનુસાર, જો બાળક કેલ્શિયમ એન્ટિગોનિસ્ટ, સિસાપ્રાઈડ અને સાયક્લોસ્પોરીન જેવી દવાઓ લેતું હોય તો તેને ગ્રેપફ્રૂટ ન આપવી જોઈએ. કારણ કે ગ્રેપફ્રૂટ ખાવાથી દવાની અસર અને જૈવઉપલબ્ધતાને અસર થઈ શકે છે. જો તમારું બાળક કોઈ દવા લેતું હોય, તો બાળકોને ગ્રેપફ્રૂટ અથવા તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ખવડાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

 ગ્રેપફ્રૂટ કેટલું ફાયદાકારક છે?

ગ્રેપફ્રૂટના પલ્પમાં વિટામીન A અને Cની સાથે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લાઇકોપેનિયા અને નારીંગિન જેવા ઘણા ફાયટોકેમિકલ્સ જોવા મળે છે. તેથી, બાળકોનો આહાર સંતુલિત બનાવવા માટે, તેમને ગ્રેપફ્રૂટ આપી શકાય છે. ગ્રેપફ્રૂટમાં વધુ માત્રામાં પાણી અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ નાના બાળકોને ડિહાઇડ્રેશનથી બચાવે છે. પાણી અને ડાયેટરી ફાઈબરના કારણે આ ફળ બાળકોના આંતરડાને સક્રિય રાખવામાં અને પાચનક્રિયામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તેમાં જોવા મળતા ફિનોલ અને ફ્લેવોન જેવા સંયોજનો આંતરડાના માઇક્રોબાયોટાને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

 શું આપણે બાળકોને ફળોનો રસ આપી શકીએ?

અમેરિકન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફળોનો રસ પીવો એ યોગ્ય નથી. તેમને માત્ર ગ્રેપફ્રૂટ જ નહીં, કોઈપણ ફળનો જ્યૂસ ન આપવો જોઈએ. ફળોને જ્યુસ કરતાં વધુ સારા માનવામાં આવે છેપરંતુ જ્યુસમાં  ખાંડનું પ્રમાણ વધુ હોવાથી દાંતમાં કેવિટી થવાનું જોખમ રહે છે. જેના કારણે ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને  ફળોનો રસ ન આપવો જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget