શોધખોળ કરો

Freezer Smell Problem: શું તમારા ફ્રીઝરમાં રહેલા બરફમાંથી દુર્ગંધ આવે છે? આ એક ભૂલ બગાડી રહી છે સ્વાદ અને સ્વાસ્થ્ય

Why Does Ice Taste Like Freezer Smell: આપણામાંથી મોટાભાગના લોકો ફ્રીઝરને એક એવી જગ્યા માને છે જ્યાં ખોરાક સુરક્ષિત રહે છે અને સમય જાણે થંભી જાય છે. વધેલું ભોજન, શાકભાજી અને બરફના ટુકડા આપણે વિચાર્યા વગર તેમાં મૂકી દઈએ છીએ.

Why Does Ice Taste Like Freezer Smell: આપણામાંથી મોટાભાગના લોકો ફ્રીઝરને એક એવી જગ્યા માને છે જ્યાં ખોરાક સુરક્ષિત રહે છે અને સમય જાણે થંભી જાય છે. વધેલું ભોજન, શાકભાજી અને બરફના ટુકડા આપણે વિચાર્યા વગર તેમાં મૂકી દઈએ છીએ. પરંતુ ઘણીવાર પાણીમાં નાખેલા બરફમાંથી અજીબ ગંધ આવવા લાગે છે અથવા ફ્રીઝ કરલેું માંસ રાંધતી વખતે તે સૂકું અને સ્વાદહીન લાગે છે. વાસ્તવમાં, ફ્રીઝરની અંદર સતત રાસાયણિક ફેરફારો થતા રહે છે, જે સ્વાદ અને બનાવટ (texture) બંનેને અસર કરે છે.

કેમ થાય છે આ સમસ્યા?

નિષ્ણાતો જણાવે છે કે અસલી સમસ્યા માત્ર જામી જવાની પ્રક્રિયા નથી, પરંતુ તેની ગતિ અને સાથે રાખવામાં આવેલી વસ્તુઓ સાથે પણ જોડાયેલી છે. ઘરોમાં વપરાતા ફ્રીઝર ખોરાકને ધીમે-ધીમે જમાવે છે, જેના કારણે 'ઓડર-એક્ટિવ કમ્પાઉન્ડ માઈગ્રેશન' જેવી પ્રક્રિયા થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, ફ્રીઝરની અંદર ગંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા લાગે છે. જો માછલી કે અન્ય ખાદ્ય પદાર્થો બરાબર ઢાંકેલા ન હોય, તો તેની ગંધ બરફ સુધી પહોંચી જાય છે.

કેમ બજાર જેવા નથી લાગતા બરફના ટુકડા?

આ જ કારણ છે કે ઘરમાં બનેલા બરફના ટુકડા બજાર જેવા તાજગીભર્યા લાગતા નથી. 'ઇફેક્ટ ઓફ ફ્રીઝિંગ મેથડ એન્ડ ફ્રોઝન સ્ટોરેજ ડ્યુરેશન ઓન ઓડર-એક્ટિવ કમ્પાઉન્ડ્સ એન્ડ સેન્સરી પરસેપ્શન ઓફ લેમ્બ' નામના સંશોધનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ધીમી જામવાની પ્રક્રિયા દરમિયાન 'સ્ટ્રેકર એલ્ડિહાઇડ' જેવા કેટલાક રાસાયણિક તત્વો બને છે, જે સ્વાદ બગાડે છે. આ સાથે, ખોરાકની સૂક્ષ્મ સંરચના પણ તૂટવા લાગે છે, જેનાથી તેનો કુદરતી રસ ઓછો થઈ જાય છે.

ધીમે-ધીમે જામવા પર બનતા બરફના કણો મોટા અને ખરબચડા હોય છે. આ કણો નાના સ્પોન્જની જેમ આસપાસની ગંધને શોષી લે છે. આ જ કારણ છે કે લાંબા સમય સુધી રાખેલા બરફનો સ્વાદ બદલાઈ જાય છે અને પાણી પણ તાજું લાગતું નથી.

કેટલું નુકસાન પહોંચાડે છે?

આની અસર માત્ર સ્વાદ સુધી મર્યાદિત નથી. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફૂડ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, જામવાની અને ઓગળવાની પ્રક્રિયામાં ખોરાકના કોષો (cells) તૂટી જાય છે. ખાસ કરીને માંસમાં, ઓગળતી વખતે તેનો રસ બહાર નીકળી જાય છે, જેને 'પર્જ લોસ' (purge loss) કહેવામાં આવે છે. આનાથી માંસ સૂકું અને ઓછું સ્વાદિષ્ટ બની જાય છે. ફ્રીઝરમાં વારંવાર હળવું ઓગળવું અને ફરીથી જામવું પણ નુકસાન પહોંચાડે છે. આ પ્રક્રિયા ઓટોમેટિક બરફ હટાવવાની સિસ્ટમ (Defrost) ને કારણે થાય છે, જેનાથી બરફની બનાવટ જાડી થઈ જાય છે અને ગંધ ફેલાવાની શક્યતા વધી જાય છે.

આને કેવી રીતે રોકી શકાય?

જોકે, કેટલાક સરળ ફેરફારોથી આ સમસ્યાને રોકી શકાય છે. સૌથી પહેલા, બરફ અને ખોરાકને હંમેશા ઢાંકીને રાખો જેથી ગંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય. નવી વસ્તુઓ રાખતી વખતે તેમની વચ્ચે પૂરતી જગ્યા છોડો, જેથી તે ઝડપથી જામી શકે. ગરમ ખોરાકને ફ્રીઝરમાં સીધો રાખવાનું ટાળો, કારણ કે તેનાથી જામવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Advertisement

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget