શોધખોળ કરો

જો તમે પણ વધુ મીઠુ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, હાર્ટ જ નહી પરંતુ આ અંગો પર પણ થશે ખરાબ અસર

હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં વ્યક્તિને ઘણીવાર મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે

મીઠું હંમેશા બ્લડ પ્રેશર સાથે સંકળાયેલું છે એટલા માટે હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં વ્યક્તિને ઘણીવાર મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે અને લો બ્લડ પ્રેશરના કિસ્સામાં વધુ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર એ હાર્ટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. તેથી મીઠું હૃદયના સ્વાસ્થ્ય માટે ખરાબ કહેવાય છે, તેથી એક ચોક્કસ મર્યાદામાં મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ વધુ પડતું મીઠું હાર્ટની સાથે સાથે કિડની પર પણ ખરાબ અસર કરે છે, તેથી તમે જેટલું ઓછું મીઠું ખાશો તેટલું તે તમારા સ્વાસ્થ્ય માટે સારુ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે વધુ પડતું મીઠું માત્ર હૃદયને જ નહીં પરંતુ કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. વાસ્તવમાં વધારે મીઠું ખાવાથી યુરિનમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે. જેના કારણે કિડનીમાં પથરી બને છે. પથરી ઉપરાંત વધુ પડતું મીઠું પણ પેશાબમાં પ્રોટીનની માત્રાને વધારે છે. જેના કારણે કિડનીની ક્ષમતા પ્રભાવિત થાય છે. તેનાથી કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ખાવુ જોઇએ નહીં.

ઓછું પાણી પીવું પણ નુકસાનકારક છે

જેમ વધુ પડતું મીઠું કિડનીના સ્વાસ્થ્યને બગાડે છે તેનાથી વિપરીત ઓછું પાણી પીવાથી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, કિડની નિષ્ણાતો કહે છે કે, કિડનીને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી કીડની સ્વસ્થ રહે છે અને કિડનીમાં એકઠા થયેલા તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. વધુ પાણી પીવાથી યુરિક એસિડ વધુ બનતું નથી અને સ્ટોન્સ બનવાનો ખતરો પણ ઓછો રહે છે. તેથી કિડનીની તંદુરસ્તી જાળવવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

પેઇનકિલર્સ કિડનીને પણ નુકસાન પહોંચાડે છે

આ બધા સિવાય જો કોઈ વસ્તુ કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે તો તે પેઈનકિલર છે. આજકાલ લોકો કોઈપણ પ્રકારની પીડા માટે ડૉક્ટરની સલાહ વિના પેઈનકિલરનો ઉપયોગ કરે છે. આ પેઇનકિલર્સ તમને દુખાવામાં તરત રાહત આપે છે, પરંતુ તેમના ઉપયોગથી તમારી કિડનીના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. એટલે જ કહેવાય છે કે ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ પેઈનકિલર ન લેવી જોઈએ.

કિડનીનું રક્ષણ કેવી રીતે કરવું

- ડાયાબિટીસની કિડની પર ખરાબ અસર પડે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ કિડનીની ખાસ કાળજી લેવી જોઈએ.

- મીઠાનું સેવન પણ ઓછું કરો.

- બને એટલું વધુ પાણી પીવો.

- વધારે પડતી પેઇનકિલર્સનું સેવન ન કરો.

- પૂરતી ઊંઘ લો. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો.

- વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરો.

- તમારું વજન નિયંત્રિત કરો, દરરોજ કસરત કરો.

- તણાવને નિયંત્રિત કરવા માટે ધ્યાન અને યોગની મદદ લો.

પથરીના દર્દી હોય તો ક્યારે ન ખાવી જોઈએ આ 3 વસ્તુઓ, વધી શકે છે દુખાવો 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget