શોધખોળ કરો

Neem Water Bath: લીમડાના પાનથી સ્નાન કરવાના એક નહીં અનેક છે ફાયદા, આ છે સાચી રીત

લીમડાની તાસીર ઠંડી હોવાના કારણે ઉનાળા અને ચોમાસાની ઋતુમાં તેનાથી સ્નાન કરવું ફાયદામંદ હોય છે. આ પાણીથી સ્નાન કરવાથી માત્ર ત્વચા સાથે જોડાયેલી જ નહીં પરંતુ વાળની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

Benefits of taking bath of neem leaves: વરસાદની મોસમમાં રોગો અને ચેપનું જોખમ વધારે છે. આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. પરસેવાથી બળતરા, ધાધર, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં જો નહાવાના પાણીમાં લીમડાના પાન નાખવામાં આવે તો વ્યક્તિ આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા ઉપરાંત ઘણી રીતે ફાયદાકારક છે. આનાથી આંખ અને વાળની ​​સમસ્યા પણ દૂર કરી શકાય છે. ચાલો જાણીએ તેના ફાયદા.

લીમડાના પાણીથી સ્નાન કરવાની સાચી રીત

સૌ પ્રથમ લીમડાના લીલા પાન લો અને જ્યાં સુધી પાંદડાનો રંગ ઉતરી ન જાય તથા પાણી લીલું દેખાવા લાગે ત્યાં સુધી ઉકાળો. આ પછી, તેને કોટનના કપડાથી સારી રીતે ગાળી લો અને તેને નહાવાના પાણીમાં મિક્સ કરો. આ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે-ત્રણ વખત આમ કરો કરો. લીમડાના પાણીથી સ્નાન કરતી વખતે શરીરને હળવા હાથે ઘસો. તેનાથી ત્વચા હાઇડ્રેટ થશે, તેને પોષણ મળશે અને તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. જો તમે ઈચ્છો તો લીમડા પાનની સાથે એલોવેરા અને તુલસીના પાનને પણ ઉકાળી શકો છો.

લીમડાના પાણીથી સ્નાન કરવાના 5 ફાયદા

ખીલમાંથી મળે છે છુટકારો

લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે. જો ફોલ્લીઓ અને ડાઘ તમને પરેશાન કરતા હોય તો લીમડાના પાણીથી ચહેરો ધોઈ લો. તેમાં કુદરતી ચમક હશે અને તાજી દેખાશે.

ડેન્ડ્રફ અને જૂથી છુટકારો

જો તમે ડેન્ડ્રફ કે શુષ્ક વાળ અથવા જૂથી પરેશાન છો તો લીમડાના પાણીથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. તેનાથી નિર્જીવ વાળમાં જીવન અને ચમક આવે છે. લીમડાના પાણીથી વાળ ધોતી વખતે શેમ્પૂ કરવાની જરૂર નથી. તેનાથી જૂની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે.

આંખો માટે ફાયદાકારક

જો તમને આંખમાં ઈન્ફેક્શન હોય તો લીમડાના પાણીથી સમસ્યા દૂર કરી શકાય છે. લીમડા પાન વાળા પાણીથી અને આંખો ધોવાથી ઈન્ફેક્શન, નેત્રસ્તર દાહ એટલે કે આંખોમાં લાલાશ, આંખોમાં સોજો જેવી સમસ્યાઓ મટે છે.

શરીર પરની ફોડલી અને ચકામાની સમસ્યામાં રાહત

જે લોકો ફોલ્લીઓ અને પિમ્પલ્સથી પરેશાન છે, તેમના માટે લીમડાના પાનના પાણીથી સ્નાન કરવું એ રામબાણથી ઓછું નથી. લીમડામાં પ્રાકૃતિક એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે ફોડલી અને ચકામાની સમસ્યામાં રાહત આપે છે.

પરસેવાની દુર્ગંધ દૂર થઈ જશે

ગરમ અને ભેજવાળા હવામાનમાં, પરસેવાની દુર્ગંધ ઘણીવાર સમસ્યાઓ ઊભી કરે છે. આનું કારણ શરીરમાં બેક્ટેરિયાનું ઉત્પાદન છે. આવી સ્થિતિમાં લીમડાના પાનથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
Embed widget