શોધખોળ કરો

Infertility Problems: ઇન્ફર્ટિલિટીની સમસ્યાથી પરેશાન છો તો આ બીમારીની આશંકાએ કરાવો આ ટેસ્ટ

બાળક ન હોવું એટલે વંધ્યત્વની સ્થિતિ કયારેક દંપતિને અધુરપનો અહેસાસ કરાવે છે. હાલમાં જ એક એવી બીમારી વિશે જાણવા મળ્યું છે, જેના કારણે મહિલાઓમાં સંતાન ન થવાની સમસ્યા વધી રહી છે.

Infertility Problems: બાળક ન હોવું એટલે વંધ્યત્વની સ્થિતિ કયારેક દંપતિને અધુરપનો અહેસાસ કરાવે છે. હાલમાં જ એક એવી બીમારી વિશે જાણવા મળ્યું છે, જેના કારણે મહિલાઓમાં સંતાન ન થવાની સમસ્યા વધી રહી છે.

માતા બનવું દરેક મહિલાનું સપનું હોય છે. પરંતુ જો અત્યાર સુધી તમારા ઘરમાં કિલકિલાટ ગુંજી નથી, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. બાળક ન હોવું એટલે વંધ્યત્વની સમસ્યા (ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ) પણ કોઇપણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે. જેના કારણે ઘણી સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર બને છે. માનસિક સમસ્યાઓની સાથે શારીરિક સમસ્યાઓ પણ તેમને ઘેરી શકે છે. હાલમાં જ કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં કેટલીક મહિલાઓ કોઈ ખાસ બીમારીને કારણે માતા બની શકી નથી. એટલે કે, આ રોગના કારણે, વંધ્યત્વની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ આ બીમારી વિશે..

આ રોગને કારણે વંધ્યત્વ

તાજેતરના મામલા બાદ આ માહિતી સામે આવી છે કે ટીબીની સમસ્યા પણ મહિલાઓના માતા બનવાના માર્ગમાં અવરોધ ઉભી કરી શકે છે. તેથી, જો કોઈ મહિલા લાંબા સમયથી કુદરતી રીતે માતા બનવાનો પ્રયાસ કરી રહી હોય અને તેને સફળતા ન મળી રહી હોય, તો ફરી એકવાર ટીબી ટેસ્ટ કરાવવો જોઈએ. હાલમાં જ એક મોટી હોસ્પિટલના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ત્યાં વંધ્યત્વની સમસ્યાની સારવાર માટે પહોંચેલી લગભગ 23 ટકા મહિલાઓ ટીબીની બીમારીથી પીડિત છે. ટીબીની બીમારીની સારવાર કરાવ્યા બાદ તે માતા બની શકી હતી.

જીનીટલ ટીબીના દર્દીઓમાં વધુ તકલીફ

એક સંશોધન અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટીબીની સમસ્યાથી પીડિત મહિલાઓની લેપ્રોસ્કોપિક તપાસમાં લગભગ 55 ટકા મહિલાઓને જનનાંગ ક્ષય રોગ હોવાનું જાણવા મળ્યું છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જેનિટલ ટીબીનો ભોગ બનેલી લગભગ 87 ટકા મહિલાઓની ઉંમર માત્ર 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હતી.

ટીબીનો ચેપ ગર્ભાશયમાં પહોંચે છે

મહિલા રોગોના આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટીબીનો ચેપ મહિલાઓની ફેલોપિયન ટ્યુબ દ્વારા ગર્ભાશય સુધી પહોંચે છે. ટીબીનો ચેપ મહિલાઓના જનનાંગોના બાહ્ય ભાગો દ્વારા અંડાશય અને સર્વિક્સ સુધી પણ પહોંચે છે.

સારવાર શક્ય છે

ટીબીની નિયમિત સારવારથી આ સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા ખતરનાક બની શકે છે. અંડાશયમાંથી ઇંડા ફેલોપિયન ટ્યુબ દ્વારા જ ગર્ભાશય સુધી પહોંચે છે, પરંતુ ટીબીના બેક્ટેરિયા ફેલોપિયન ટ્યુબને બ્લોક કરે છે, જેના કારણે ગર્ભધાનમા અવરોધ થાય છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget