Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death Live: આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે

Background
Manmohan Singh Death Live: પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઇકાલે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
Manmohan Singh Death Live: કોંગ્રેસની બેઠકમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાશે
આજે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
Manmohan Singh Death Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિવાસસ્થાને જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
Delhi | President Droupadi Murmu visited the residence of the former Prime Minister of India Dr Manmohan Singh and paid last respects to him. She also offered her condolences to his family members
— ANI (@ANI) December 27, 2024
(Pic source - President Droupadi Murmu's twitter handle) pic.twitter.com/SXnmFx5gHN





















