શોધખોળ કરો

ભારત દેશની 50 કરોડની યુવાશક્તિ સર્જી શકે છે ચમત્કાર: જગ્ગી વાસુદેવ સદગુરૂ

ભારતમાં 50 કરોડ યુવાનો છે. તે એક ચમત્કાર બની શકે તેમ છે. સદ્ગુરુ લોકશાહીમાં જીવવાનો અર્થ શું થાય તે વિશે જણાવે છે

સદ્‍ગુરુ: ભારતમાં 60 ટકાથી વધુ લોકો ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના છે. 50 કરોડ યુવાનો એક જબરદસ્ત સંભાવના છે, પણ જો તેઓ સ્વસ્થ, તાલીમ પામેલા અને એકાગ્ર હોય તો જ. તે એક ચમત્કાર બની શકે તેમ છે. પૃથ્વી પરનો કોઈપણ દેશ જે ના કરી શકે, તે આ દેશ કરી શકે તેમ છે, કારણ કે અત્યારે તે આટલી વિશાળ સંભાવનાના ઉંબરે ઉભો છે.

સામાન્ય રીતે, જૂની પેઢી હંમેશા યુવાનો સાથે એવો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરતી હોય છે કે જાણે તેઓ કોઈ પ્રકારનો રોગ છે જેને ઠીક કરવાની જરૂર છે અથવા જેને ઉપચારની જરૂર છે. યુવાનોને કોઈ ઉપચારની જરૂર નથી. તે વૃદ્ધો જેઓ જીવનથી દૂર થઈ ગયા છે તેમને ઉપચારની જરૂર છે. તો હંમેશા યુવાનો સાથે તેઓ કોઈ પ્રકારનો રોગ છે કે જેને સંભાળવાની જરૂર છે તે રીતે વ્યવહાર કરવાને બદલે, તમારે સમજવું જોઈએ કે યુવાનો માનવ સમાજના અન્ય કોઈપણ વર્ગ કરતાં ઘણાં વધુ જીવંત હોય છે. તે માત્ર એટલું જ છે કે, તેઓ ઉત્સાહ વગરની ઊર્જાની ચોક્કસ સ્થિતિમાં હોવાને કારણે, જો ત્યાં કોઈ પ્રેરણા ન હોય, જો યોગ્ય માર્ગદર્શન ન હોય, તો તે ખૂબ જ સરળતાથી નકારાત્મક બની જાય છે.

સૌથી મહત્વનું પાસું કે જેના તરફ આપણે ધ્યાન આપવાની જરૂર છે તે છે - યુવાનોમાં પ્રેરણાનો સંપૂર્ણ અભાવ. આનું કારણ એ છે કે શિક્ષણનું પ્રેરણાત્મક પાસું પૂરી રીતે નિષ્ક્રિય થઈ ગયું છે. પ્રેરણા વિના, કોઈપણ મનુષ્ય તે સીમાઓ કે જેમાં તે રહેતો હોય છે તેનાથી પરે જઈ શકતો નથી, પછી તે શારીરિક સીમાઓ હોય, માનસિક સીમાઓ હોય કે સામાજિક સીમાઓ હોય. મનુષ્ય જેમાં અત્યારે રહેતો હોય તે સીમાઓથી પરે જવાની

આકાંક્ષા માત્ર ત્યારે જ કરે છે જ્યારે તે પ્રેરિત થાય છે. તો જે રીતે આપણે આપણા યુવાનોને માહિતીપ્રદ શિક્ષણ પૂરું પાડવામાં આપણો સમય, સંસાધનો અને શક્તિઓ ખર્ચ કરી રહ્યા છીએ, તે જ રીતે આપણે લોકોને પ્રેરણા આપવા માટે પણ ચોક્કસ સમય, શક્તિ અને સંસાધનોનું રોકાણ કરવું પડશે.

આ દેશમાં સેંકડો પેઢીઓથી લોકો આવી જ સ્થિતિમાં જીવતા આવ્યા છે. હા, મહારાજાઓ પાસે સોનાની ચપ્પલો તથા હીરાના મુગટો અને બીજું ગમે તે હતું, પરંતુ આ દેશમાં પેઢીઓની પેઢીઓથી લોકો હંમેશાથી અત્યંત ગરીબીમાં જીવતા આવ્યા છે, અને હજુ પણ એવું જ છે. હું આ બાબતની ખૂબ જ પરવાહ છે કારણ કે હું જ્યાં પણ જાઉં છું, હું જોઉં છું કે લોકો વધુ પડતાં આત્મવિશ્વાસથી ભરેલા છે. "ઓહ, ભારત એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે."

આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે મૂર્ખામીભરી ગડબડો કરવાનો લાંબો ઈતિહાસ છે. આપણે તેમાં શ્રેષ્ઠ છીએ! આપણે લગભગ કોઈપણ વસ્તુને ગડબડમાં ફેરવી શકીએ છીએ, શું એવું નથી? આપણે આવી વસ્તુઓ માટે સક્ષમ છીએ, ક્રિકેટ મેચથી લઈને કોઈપણ વસ્તુ સુધી – જે બિલકુલ આપણા હાથમાં જ હોય તે વસ્તુમાં પણ. તેથી, તે ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે આમાં ગડબડ ન કરીએ કારણ કે જો આપણે તેને યોગ્ય રીતે સંભાળી લઈશું તો 50 કરોડ લોકોના જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવી શકે છે.

જો આપણે આ વખતે સમૃદ્ધિની બસ પકડવી હોય, તો આપણે અમુક બાબતો અંગે સમજદારીથી કામ કરવું પડશે અને તેમાંથી એક છે આપણી પાસેના આટલા બધા યુવાનોનું ઘડતર કરવું, માવજત કરવી, માર્ગદર્શન આપવું, પ્રેરણા આપવી, તાલીમ આપવી અને એકાગ્રતા લાવવી. અને આ તેની મેળે નથી થવાનું.

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ માટી બચાવોના સ્થાપક છે જે 3.91 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
સુરતના ગોડાદરામાં થયેલી 8 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
સુરતના ગોડાદરામાં થયેલી 8 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
Embed widget