શોધખોળ કરો

ભારત દેશની 50 કરોડની યુવાશક્તિ સર્જી શકે છે ચમત્કાર: જગ્ગી વાસુદેવ સદગુરૂ

ભારતમાં 50 કરોડ યુવાનો છે. તે એક ચમત્કાર બની શકે તેમ છે. સદ્ગુરુ લોકશાહીમાં જીવવાનો અર્થ શું થાય તે વિશે જણાવે છે

સદ્‍ગુરુ: ભારતમાં 60 ટકાથી વધુ લોકો ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના છે. 50 કરોડ યુવાનો એક જબરદસ્ત સંભાવના છે, પણ જો તેઓ સ્વસ્થ, તાલીમ પામેલા અને એકાગ્ર હોય તો જ. તે એક ચમત્કાર બની શકે તેમ છે. પૃથ્વી પરનો કોઈપણ દેશ જે ના કરી શકે, તે આ દેશ કરી શકે તેમ છે, કારણ કે અત્યારે તે આટલી વિશાળ સંભાવનાના ઉંબરે ઉભો છે.

સામાન્ય રીતે, જૂની પેઢી હંમેશા યુવાનો સાથે એવો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરતી હોય છે કે જાણે તેઓ કોઈ પ્રકારનો રોગ છે જેને ઠીક કરવાની જરૂર છે અથવા જેને ઉપચારની જરૂર છે. યુવાનોને કોઈ ઉપચારની જરૂર નથી. તે વૃદ્ધો જેઓ જીવનથી દૂર થઈ ગયા છે તેમને ઉપચારની જરૂર છે. તો હંમેશા યુવાનો સાથે તેઓ કોઈ પ્રકારનો રોગ છે કે જેને સંભાળવાની જરૂર છે તે રીતે વ્યવહાર કરવાને બદલે, તમારે સમજવું જોઈએ કે યુવાનો માનવ સમાજના અન્ય કોઈપણ વર્ગ કરતાં ઘણાં વધુ જીવંત હોય છે. તે માત્ર એટલું જ છે કે, તેઓ ઉત્સાહ વગરની ઊર્જાની ચોક્કસ સ્થિતિમાં હોવાને કારણે, જો ત્યાં કોઈ પ્રેરણા ન હોય, જો યોગ્ય માર્ગદર્શન ન હોય, તો તે ખૂબ જ સરળતાથી નકારાત્મક બની જાય છે.

સૌથી મહત્વનું પાસું કે જેના તરફ આપણે ધ્યાન આપવાની જરૂર છે તે છે - યુવાનોમાં પ્રેરણાનો સંપૂર્ણ અભાવ. આનું કારણ એ છે કે શિક્ષણનું પ્રેરણાત્મક પાસું પૂરી રીતે નિષ્ક્રિય થઈ ગયું છે. પ્રેરણા વિના, કોઈપણ મનુષ્ય તે સીમાઓ કે જેમાં તે રહેતો હોય છે તેનાથી પરે જઈ શકતો નથી, પછી તે શારીરિક સીમાઓ હોય, માનસિક સીમાઓ હોય કે સામાજિક સીમાઓ હોય. મનુષ્ય જેમાં અત્યારે રહેતો હોય તે સીમાઓથી પરે જવાની

આકાંક્ષા માત્ર ત્યારે જ કરે છે જ્યારે તે પ્રેરિત થાય છે. તો જે રીતે આપણે આપણા યુવાનોને માહિતીપ્રદ શિક્ષણ પૂરું પાડવામાં આપણો સમય, સંસાધનો અને શક્તિઓ ખર્ચ કરી રહ્યા છીએ, તે જ રીતે આપણે લોકોને પ્રેરણા આપવા માટે પણ ચોક્કસ સમય, શક્તિ અને સંસાધનોનું રોકાણ કરવું પડશે.

આ દેશમાં સેંકડો પેઢીઓથી લોકો આવી જ સ્થિતિમાં જીવતા આવ્યા છે. હા, મહારાજાઓ પાસે સોનાની ચપ્પલો તથા હીરાના મુગટો અને બીજું ગમે તે હતું, પરંતુ આ દેશમાં પેઢીઓની પેઢીઓથી લોકો હંમેશાથી અત્યંત ગરીબીમાં જીવતા આવ્યા છે, અને હજુ પણ એવું જ છે. હું આ બાબતની ખૂબ જ પરવાહ છે કારણ કે હું જ્યાં પણ જાઉં છું, હું જોઉં છું કે લોકો વધુ પડતાં આત્મવિશ્વાસથી ભરેલા છે. "ઓહ, ભારત એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે."

આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે મૂર્ખામીભરી ગડબડો કરવાનો લાંબો ઈતિહાસ છે. આપણે તેમાં શ્રેષ્ઠ છીએ! આપણે લગભગ કોઈપણ વસ્તુને ગડબડમાં ફેરવી શકીએ છીએ, શું એવું નથી? આપણે આવી વસ્તુઓ માટે સક્ષમ છીએ, ક્રિકેટ મેચથી લઈને કોઈપણ વસ્તુ સુધી – જે બિલકુલ આપણા હાથમાં જ હોય તે વસ્તુમાં પણ. તેથી, તે ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે આમાં ગડબડ ન કરીએ કારણ કે જો આપણે તેને યોગ્ય રીતે સંભાળી લઈશું તો 50 કરોડ લોકોના જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવી શકે છે.

જો આપણે આ વખતે સમૃદ્ધિની બસ પકડવી હોય, તો આપણે અમુક બાબતો અંગે સમજદારીથી કામ કરવું પડશે અને તેમાંથી એક છે આપણી પાસેના આટલા બધા યુવાનોનું ઘડતર કરવું, માવજત કરવી, માર્ગદર્શન આપવું, પ્રેરણા આપવી, તાલીમ આપવી અને એકાગ્રતા લાવવી. અને આ તેની મેળે નથી થવાનું.

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ માટી બચાવોના સ્થાપક છે જે 3.91 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget