શોધખોળ કરો
Advertisement
બોપલ ઘુમામાં ઠેર ઠેર ઉભી રહેતી શાકભાજીની લારીઓથી કોરાનાનો ખતરો વધતાં ક્યાં 22 સ્થળે જ લારીઓ ઉભા રાખવાની છૂટ?
ઘુમા અને સાઉથ બોપલ માટે પણ આજે કેટલીક જગ્યાઓ નક્કી કરી ત્યાં લારીઓ ઉભી રાખવામા આવશે.
અમદાવાદઃ સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી આગળ વધારવામાં આવ્યું છે. જ્યારે દેશના રાજ્યોએ હોટસ્પોટ એરિયામાં કર્ફ્યુ પણ લગાવ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યું છે. ઉપરાંત જ્યાં લોકડાઉન છે ત્યાં પણ લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો સરકાર ત્યાં પણ કર્ફ્યુ લગાવે તેવી શક્યા છે.
લોકો લોકડાઉનનું પાલન ન કરતાં હોય ઘણી જગ્યાએ જિલ્લા તંત્રએ તંત્રએ જાહેરનામું બહાર પાડી 7થી 11 સુધી જ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકે તેવા આદેશ બહાર પાડ્યા છે.
લોકડાઉનમાં લોકો શાકભાજી લેવા રોડ પર ભીડ ન કરે તે માટે બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા 22 વિસ્તારમાં 46 લારીઓ ઉભી રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જાણીતા અખબાર સાથેની વાતચીતમાં નગરપાલિકા પ્રમુખ જીગીષાબેને કહ્યું હતું કે, લોકો ને સરળતાથી શાકભાજી મળે તે માટે અમે 46 લારીઓની જગ્યા નક્કી કરી છે. ઘુમા અને સાઉથ બોપલ માટે પણ આજે કેટલીક જગ્યાઓ નક્કી કરી ત્યાં લારીઓ ઉભી રાખવામા આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion