![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad : યુવતીને યુવક સાથે બંધાયા શરીરસંબંધ, પ્રેમીને યુવતીનો પુત્ર નહોતો પસંદ એટલે...
અમદાવાદની પરિણીતાને યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમમાં બાળકને લઇ કંકાસ થતા માતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. બાળકની હત્યા કરી નાંખી હતી. આ પછી માતા અને પ્રેમીએ સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતી.
![Ahmedabad : યુવતીને યુવક સાથે બંધાયા શરીરસંબંધ, પ્રેમીને યુવતીનો પુત્ર નહોતો પસંદ એટલે... Ahmedabad : A mother murder of her child in love , couple arrested Ahmedabad : યુવતીને યુવક સાથે બંધાયા શરીરસંબંધ, પ્રેમીને યુવતીનો પુત્ર નહોતો પસંદ એટલે...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/03142318/lovers4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરમાં લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પ્રેમમાં આંધળી માતાએ ખૂદ પોતોના જ ત્રણ વર્ષના દીકરાની પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે સાથે લોકો હત્યારી માતા પર ફીટકાર વરસાવી રહ્યા છે. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેર કોટડામાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમ સંબંધમાં બાળકને લઇ કંકાસ થતા માતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. બાળકની હત્યા કરી નાંખી હતી. આ પછી માતા અને પ્રેમીએ સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતી.
શહેર કોટડા પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે. હત્યારી માતા અને પ્રેમીએ 8મી ઓગસ્ટના રોજ પાલનપુર જઇ બાળકને દાટી દીધો હતો. શહેર કોટડા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ ખાડો ખોદી બાળક શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Kheda : નર્મદા કેનાલમાં યુવતીએ લગાવી મોતની છલાંગ, કોણ છે યુવતી અને કેમ કર્યો આપઘાત?
કપડવંજઃ ખેડા જિલ્લામાં આજે એક યુવતીએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ચારણીયાના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી.
કોઈ અગમ્ય કારણોસર લગાવી મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવ્યાની મદદથી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ આંતરસુંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. કેનાલમાં છલાંગ લગાવનાર યુવતી કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ જ જગ્યાએ ગત 11મી ઓક્ટોબરે કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં એક ઇસમે ઝંપલાવ્યું હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી હતી. ચારણીયા પુલની મધ્યમાં કાર પાર્ક કરી ઈસમે નહેરમાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા.
હોમગાર્ડ જવાનોએ કારમાં તપાસ કરતાં કારમાંથી લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આતરસુંબા પોલીસ મથકના હદ વિસ્તારની ઘટના છે. યુવકે આત્મહત્યા કરી કે હત્યા થઈ તે અંગે રહસ્ય ઘૂંટાયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથી ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)