શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાની ઘાતકતા ઘટી હોવાનો કોણે કર્યો દાવો? શું આપ્યું મોટું કારણ?

અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ હોવાનો ડો.પ્રભાકરે કર્યો દાવો. અમદાવાદમાં કોરોનાની ઘાતકતા ઘટી હોવાનો પણ દાવો કર્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે, ત્યારે અમદાવાદના લોકોને રાહત થાય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ એમ.એમ. પ્રભાકરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અમદાવાદમાં કોરોનાની ઘાતકતા ઘટી હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેમણે અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ હોવાનો દાવો પણ કર્યો છે. ડો.પ્રભાકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં સિવિલ હોસ્પિટલ પર કેસોનું ભારણ ઘટ્યું છે. તેમજ ગંભીર પ્રકારના કેસોની ઘાતકતા ઘટી છે. તેમણે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં ઘટાડો થયું હોવાનું પણ જણાવ્યું હતું. અમદાવાદમાં કોરોના વકર્યો પછી ગઈ કાલે સૌથી ઓછા 197 કેસ નોંધાયા છે. ગત એક માસની વાત કરીએ તો ગઈ કાલે છેલ્લા એક મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. તેમજ ગયા અઠવાડિયે અમદાવાદમાં 1527 કુલ કેસ નોંધાયા હતા. તેની સામે 1534 લોકો કોરોનાથી મુક્ત થયા છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો 2087 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેની સામે 2377 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જૂન મહિનાની વિગતો જોઈએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ 8733 કેસ નોંધાયા છે. તેની સામે 9050 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, અમદાવાદમાં રિકવરી રેટ ખુબ સારો છે. જેને કારણે ગયા મહિને નોંધાયેલા નવા કેસની સામે વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, અમદાવાદ જિલ્લામાં કોરાનાથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ જિલ્લામાં 15થી વધુ લોકોના મોત થયા નથી. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી કુલ 78 લોકોના મોત થયા છે. તેના આગલા અઠવાડિયે અમદાવાદમાં 132 લોકોના મોત થયા હતા. તેમજ છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં કોરોનાથી કુલ 599 લોકોના મોત થયા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. જોકે, હવે અમદાવાદમાં મૃત્યુના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget